INDvsENG : ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી મૅચમાં જ હાર
INDvsENG : ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી મૅચમાં જ હાર
Click here to see the BBC interactive
ઑસ્ટ્રેલિયન મેદાનોમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ઘરેલુ મેદાનમાં પહેલી જ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
ઇંગ્લૅન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં જીત માટે ભારતને 420 રન કરવાના હતા, પણ વિરાટ કોહલીની ટીમ માત્ર 192માં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમ તરફથી કૅપ્ટન વિરાટ કોહલીએ થોડી બાજી સંભાળી હતી, પણ તેમની 72 રનની પારી રમતના ત્રીજા સેશન સુધી લઈ જવામાં નિષ્ફળ રહી હતી.
સવાલ એ થાય કે ઑસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતનારી ઇન્ડિયન ટીમ પોતાની જમીન પર ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં કેમ હારી ગઈ?
ભારતીય ટીમની પસંદગી પર સવાલ

ચેન્નાઈમાં જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઊતરી ત્યારે ટીમનું સુકાન અનિયમિત પણ સફળ કૅપ્ટન અજિંક્ય રહાણેની જગ્યાએ નિયમિત કૅપ્ટન વિરાટ કોહલીને સોંપાયું હતું, જે પિતા બન્યા બાદ ટીમમાં પરત ફર્યા હતા.
ઑસ્ટ્રેલિયામાં ત્રણ મૅચમાં તેર વિકેટ લેનારા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજનું સ્થાન ઈશાંત શર્માએ લીધું.
તેઓ પોતાની 98મી મૅચ રમતા હતા અને ટેસ્ટ કારકિર્દીમાં 300 વિકેટ લેવામાં સફળ પણ રહ્યા, પણ એક બૉલર તરીકે તેઓ પોતાની છાપ છોડી ન શક્યા.
તમામ ક્રિકેટ પંડિતો હેરાન હતા કે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન કેમ ન મળ્યું.
બની શકે કે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ હોય તો પણ પરિણામ આ જ આવત, પણ પહેલી નજરે એ સાચું લાગતું નથી.
શાહબાઝ નદીમે બે વિકેટ માટે 167 રન અને આર. અશ્વિને ત્રણ વિકેટ માટે 146 રન આપ્યા, એટલે કે બંને બૉલરોએ ત્રણસોથી વધુ રન આપી દીધા.
ઇંગ્લૅન્ડે જોરદાર ખેલાડીઓને અજમાવ્યા

બીજી તરફ ઇંગ્લૅન્ડે ચેન્નાઈ ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી તો અનુભવી ઑફ સ્પિનર મોઈન અલી ટીમમાંથી બહાર હતા.
કદાચ કોવિડના શિકાર થવાને કારણે તેમની ફિટનેસ પર સવાલો હતા, પણ જૅક લીચ અને ડોમિનિક બૅસે તેમની ખોટ સાલવા ન દીધી.
ઇંગ્લૅન્ડે ફાસ્ટ બૉલરોમાં સ્ટુઅર્ટ બ્રૉન્ડના સ્થાને જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરને મોકો આપ્યો.
ચેન્નાઈ ટેસ્ટ પહેલાં જ 606 વિકેટ પોતાના નામે કરી ચૂકેલા એન્ડરસને સાબિત કરી બતાવ્યું કે તેઓ કેવી રીતે સ્વિંગના બાદશાહ છે.

https://www.youtube.com/watch?v=jxcry2-teR0
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
