ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ODI સિરીઝ માટે ભારતની ટીમ જાહેર, 3 નવા ચહેરા સામેલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 સિરીઝ બાદ બંને ટીમો ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ શુક્રવારે (19 માર્ચ) ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટેની ટીમમાં જાહેરાત કરી છ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 સિરીઝ બાદ બંને ટીમો ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ શુક્રવારે (19 માર્ચ) ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટેની ટીમમાં જાહેરાત કરી છે. આ ટીમમાં 3 નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતની ટી -20 નિષ્ણાંત ક્રુનાલ પંડ્યાને વનડે ટીમમાં સ્થાન અપાયું છે. તેણે 2018 માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી -20 માં પ્રવેશ કર્યો હતો. લગભગ 3 વર્ષ રાહ જોયા બાદ, તેને વનડે ડેબ્યૂ કરવાની તક મળશે. કૃણાલની સાથે 30 વર્ષીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને 25 વર્ષીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ પસંદગી કરવામાં આવી છે.
વિરાટ કોહલીને ટીમનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. રોહિત શર્માને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. 23 માર્ચથી વનડે સિરીઝની શરૂઆત થશે. સિરીઝની ત્રણેય મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણે ખાતે રમાશે. મેચ અનુક્રમે 23, 26 અને 28 માર્ચે રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
વિરાટ કોહલી પર નજર
આગામી સિરીઝ માટે કોહલી પર નજર રહેશે, જેમણે ઓગસ્ટ 2019 થી એક પણ સદી ફટકારી નથી. ભારતની શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયરે પ્રથમ ટી -20 માં ઉચ્ચતમ ગુણવત્તાનો સ્વભાવ દર્શાવ્યો હતો. તેણે 48 બોલમાં 67 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહીં. ઐયરે વનડેમાં એક સદી અને આઠ અર્ધસદી સાથે 807 રન બનાવ્યા છે.
ભારતની ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રીષભ પંત, કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર.
આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે વિરાટ સેના, આ બદલાવ સાથે ઉતર્યું ભારત
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
