કોહલીનું ખેલરત્ન અને ગાવસ્કરનું નામ ધ્યાનચંદ એવોર્ડ માટે પ્રસ્તાવિતઃ બીસીસીઆઈ
હાલમાં ચારેતરફ આઈપીએલની ધૂમ મચી છે. જ્યાં જુઓ ત્યાં લોકો આઈપીએલની જ વાત કરતાં નજરે પડે છે. એવામાં ખેલપ્રેમીઓ માટે બીજા એક સારા સમાચાર છે.
હાલમાં ચારેતરફ આઈપીએલની ધૂમ મચી છે. જ્યાં જુઓ ત્યાં લોકો આઈપીએલની જ વાત કરતાં નજરે પડે છે. એવામાં ખેલપ્રેમીઓ માટે બીજા એક સારા સમાચાર છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ ખેલરત્ન માટે અને ભારતના દિગ્ગજ બેટ્સમેન રહી ચૂકેલા સુનીલ ગાવસ્કરનું નામ મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવા માટે પ્રસ્તાવિત કર્યુ છે.

શું છે ખેલ રત્ન
તમને જણાવી દઈએ કે દર વર્ષે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિન 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ રુપે મનાવાવામાં આવે છે. આ દિવસે ખેલાડીઓને દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર ખેલરત્ન પણ આપવામાં આવે છે. આ વખતે આ પુરસ્કાર આપવા માટે બીસીસીઆઈએ વિરાટ કોહલીનું નામ રમતગમત મંત્રાલયને સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂલાઈ કે ઓગસ્ટ મહિનામાં થનારી સ્પોર્ટ્સ સમિતિની બેઠકમાં ખેલ પુરસ્કાર પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ ખેલ પુરસ્કાર 1991 થી શરુ કરવામાં આવ્યો હતો.
BCCI is recommending Virat Kohli's name for Khel Ratna Award and Sunil Gavaskar's name for Dhyan Chand Award for Lifetime Achievement in Sports: BCCI Sources
- ANI (@ANI) April 26, 2018
ત્રીજા ક્રિકેટર હશે કોહલી
ખેલરત્ન પુરસ્કાર અત્યાર સુધીમાં માત્ર 34 ખેલાડીઓને આપવામાં આવે છે. આમાં માત્ર બે જ ખેલાડી ક્રિકેટના છે. 1997-98 માં આ પુરસ્કાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મળ્યો હતો. જ્યારે 2007 માં આ રત્નથી મહેન્દ્રસિંહ ધોનીને નવાજવામાં આવ્યા હતા. જો વિરાટ કોહલીને આ પુરસ્કાર મળશે તો તે ત્રીજા ક્રિકેટર હશે જેમને આ પુરસ્કાર મળશે. આ તરફ જો સુનીલ ગાવસ્કરને ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ મળ્યો તો તે પહેલા ક્રિકેટર ખેલાડી હશે જેમને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ સમ્માન 51 ખેલાડીઓને આપવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
