NRIsને રાહત, GAARનું અમલીકરણ વર્ષ 2016 સુધી મુલતવી

આ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે GAARનો હેતુ કરચોરીને રોકવાનો છે, પણ હવે તેને એપ્રિલ, 2016 સુધી મુલતવી રાખી દેવામાં આવ્યો છે. આ નિર્ણય શોમ કમિટીએ સરકારને કરેલી ભલામણને આધારે લેવામાં આવ્યો છે. જેના કારણે એનઆરઆઇને આગામી ત્રણ વર્ષ સુધી મોટી રાહત મળી છે.
પી. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં કરાતા મૂડીરોકાણ પર હમણા GAAR લાગુ પાડવામાં નહીં આવે. ત્રણ કરોડ રૂપિયા સુધીની ટેક્સ રાહત લેનારા રોકાણકારો પર જ GAAR અમલી બનશે. આ ઉપરાંત ઈન્કમ ટેક્સની કલમ 90 (એ) અંતર્ગત રાહત લેનાર એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરો)ને પણ GAARના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બીજી સારી વાત એ છે કે ટેક્સ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની તપાસ શરૂ કરતા પહેલા પાર્ટીને કારણદર્શક નોટિસ મોકલવી. સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી એફઆઈઆઈમાં આનંદની લહેર ફરી વળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
