કોણ છે પાકિસ્તાની તાલિબાન? શું છે તેમની માંગ? કેમ પાકિસ્તાની સેના સાથે છેડી છે જંગ?
TTP એ એક વિડિયો જાહેર કર્યો જેમાં જણાવ્યું હતું કે તેણે નવ પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા છે. આમાં મેજર ખુર્શીદ અકરમ નામનું એક મોટું નામ પણ સામેલ છે. TTPએ નાગરિકોને શરિયાનું પાલન કરવા માટે પેમ્ફલેટ પણ વહેંચ્યા છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ 18 ડિસેમ્બરે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બન્નુ છાવણીના કાઉન્ટર ટેરરિઝમ વિભાગ (CTD) પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની અખબાર 'ડોન' અનુસાર આતંકવાદ વિરોધી વિભાગ દ્વારા લગભગ 25 આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક આતંકીએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધું હતું અને અન્ય આતંકીઓને પણ પોલીસના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. આ ફાયરિંગમાં ચાર પોલીસકર્મીઓના મોતના સમાચાર છે. આ પછી આ આતંકીઓએ આખી ઈમારતને પોતાના કબજામાં લઈ લીધી હતી.
TTP એ એક વિડિયો જાહેર કર્યો જેમાં જણાવ્યું હતું કે તેણે નવ પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા છે. આમાં મેજર ખુર્શીદ અકરમ નામનું એક મોટું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TTPએ પાકિસ્તાની નાગરિકોને શરિયાનું પાલન કરવા માટે પેમ્ફલેટ પણ વહેંચ્યા છે.

TTP સાથે યુદ્ધવિરામ
TTPએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છેકે તેમના આતંકવાદીઓને વઝિરિસ્તાનમાં TTPના સુરક્ષિત આશ્રયસ્થાન પર લઈ જવામાં આવે, નહીં તો કોઈપણ નુકસાન માટે સેના જવાબદાર રહેશે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયો છે. પાકિસ્તાન સરકાર અને આતંકવાદીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે TTPએ આ વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાન સરકાર સાથે અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જો કે, 28 નવેમ્બરે તેને TTP દ્વારા રદ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા નિવૃત્ત થયા ત્યારે યુદ્ધવિરામ પણ ખતમ થઈ ગયો હતો. વાસ્તવમાં ટીટીપીની નજર હંમેશા પાકિસ્તાનની સેના અને સરકારની અસ્થિરતા પર રહે છે. આવી સ્થિતિમાં નવા આર્મી ચીફ અસીમ મુનીરને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન શું છે?
યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ TTPએ તેના આતંકવાદીઓને આખા પાકિસ્તાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. TTPએ કહ્યું છે કે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અમારા આતંકવાદીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલા માટે જ્યારે પણ અમને તક મળશે અમે આખા પાકિસ્તાન પર હુમલો કરીશું.
ટીટીપીના અલકાયદા સાથે પણ ઊંડા સંબંધો છે. 2010માં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર થયેલા હુમલામાં પણ ટીટીપીનું નામ સામે આવ્યું હતું. તે સામાન્ય રીતે આત્મઘાતી બોમ્બરોનો વધુ ઉપયોગ કરે છે. વર્ષ 2009માં લાહોર પોલીસ એકેડમી પર થયેલા હુમલાની જવાબદારી પણ TTP દ્વારા લેવામાં આવી હતી. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.
TTPનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ઇસ્લામિક શરિયા કાયદાને વધુ કટ્ટરપંથી રીતે લાગુ કરવા માટે અફઘાન તાલિબાનની તર્જ પર પાકિસ્તાનની કહેવાતી ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાનો છે. પાકિસ્તાનને અસ્થિર કરવા માટે ટીટીપીએ ઘણી વખત પાકિસ્તાની સેના પર હુમલા પણ કર્યા છે અને પાકિસ્તાનના અનેક નેતાઓની ઘાતકી હત્યાઓમાં પણ તેનું નામ સામેલ છે.

મલાલા યુસુફઝાઈ પર હુમલો
TTP હંમેશા મહિલાઓ અને છોકરીઓના શિક્ષણનો વિરોધ કરે છે. તેણે સ્વાત ખીણમાં ઘણી શાળાઓ પણ બંધ કરી દીધી. મલાલા યુસુફઝાઈએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ટીટીપી છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનો હુકમ કેવી રીતે જારી કરી શકે? આ પછી મલાલા ટીટીપીની નજરમાં આવી. વર્ષ 2012માં જ્યારે મલાલા બસ દ્વારા સ્કૂલ જઈ રહી હતી. તેમાં ટીટીપીના આતંકીઓ પહેલાથી જ સવાર હતા. આતંકવાદીઓએ મલાલાની ઓળખ કરી અને તેના પર ગોળીબાર કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેમને સારી સારવાર માટે લંડન લઈ જવામાં આવ્યા હતા. આ પછી સમગ્ર વિશ્વમાં મલાલાની ચર્ચા થવા લાગી અને 2014માં તેને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો.

પેશાવરની આર્મી સ્કૂલ પર હુમલો
16 ડિસેમ્બર 2014ના રોજ સેનાના યુનિફોર્મમાં સાત TTP આતંકવાદીઓ પાછલા દરવાજાથી પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં પ્રવેશ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેઓ અલગ-અલગ ક્લાસ રૂમમાં ગયા અને બાળકોને ગોળીઓથી નિશાન બનાવ્યા. થોડી જ વારમાં શાળામાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. આ હુમલામાં 131 બાળકો સહિત 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ સિવાય ટીટીપીના આતંકીઓ જ્યારે પણ તક મળે છે ત્યારે પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ કરતા રહે છે. ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટી અનુસાર, TTP પર 83,000 પાકિસ્તાનીઓની હત્યા કરવાનો આરોપ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
