યૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHO
યૂરોપના દેશો કોરોના સંક્રમણના નિયંત્રણના ઉપાયો સહેલા કરેઃ WHO
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રીસસે યૂરોપના દેશોને કોરોના સંકટ વચ્ચે અપીલ કરી છે કે તેઓ લોકોનો ટેસ્ટ કરે, તેમને આઈસોલેટ કરે અને બધાનો ઈલાજ કરે, પરંતુ આની સાથે જ કોરોનાના નિયંત્રણ માટે ઉપાયોને પણ આસાન કરવામાં આવે. તેમણે કહ્યું કે યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા ઘટી રહ્યા છે, અમે છતાં પણ અમારી અપીલને યથાવત રાખીએ છીએ કે તમામ દેશ લોકોને ટ્રેસ કરે, ટેસ્ટ કરે અને તેમનો ઈલાજ કરે. આ લોકોના સંપર્કમાં આવેલ લોકોને પણ ટ્રેસ કરે જેથી સતત સંક્રમણ ઘટતું રહે.

ટેડ્રોસે કહ્યું કે આ વાતમાં કોઈ શંકા નથી કે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગને કારણે કેટલાય દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું છે, પરંતુ હજી પણ આ વાયરસ બહુ ખતરનાક છે. શરૂઆતી તથ્ય આ વાતની તરફ ઈશારો કરે છે કે દુનિયાની અડધાથી વધુ વસ્તી આ વાયરસના સંક્રમણના સંદિગ્ધ છે. કોરોના મહામારી ખત્મ કરવા માટે દુનિયાએ એકજુટ થઈ સાથે ઉભું રહેવું પડશે. તમામ દેશોએ સ્વાસ્થ્ય સેવાઓ સારી કરવાની જરૂરત છે.
એક ટ્વીટ કરી ટેડ્રોસે લખ્યું કે સોમવાર સુધી યૂરોપમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત મામલા 1341851 છે, જ્યારે 122218 લોકોના આનાથી મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા 2878196 છે, જ્યારે 198668 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમેરિકામાં સતત સેંકડો લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે. અહીં પાછલા 24 કલાકમાં 1303 લોકોના કોરોના વાયરસને પગલે મોત થયા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે કહ્યું હતું કે એવું કોઈ સબુત કે સ્ટડી નથી જે સાબિત કરી શકે કે કોરોના સંક્રમણથી ઠીક થઈ ચૂકેલ વ્યક્તિને બીજીવાર સંક્રમણ નહિ થાય. ડબલ્યૂએચઓએ આ વાત પ્રચલિત થઈ રહેલી પ્લાઝ્મા થિયોરીને લઈને કહી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એકવાર કોરોનાથી ઠીક થઈ ગયા છે, તેના શરીરે કોરોના સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે, તે સુરક્ષિત છે અને બીજીવાર તે સંક્રમિત થવાની સંભાવના નથી. ડબલ્યૂએચઓએ આ વિશે એક ટ્વીટ કર્યું હતું કે આવા લોકોને જોખમ મુક્ત ના કહી શકાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
