જાગો! નહીં તો પૃથ્વી પર ના મળશે પાણી કે ખોરાક
30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ફ્રાંસની રાજધાની પેરિસમાં દુનિયાભરના 196 દેશોના રાષ્ટ્રધ્યક્ષ હાજર રહેશે. અને આ તમામ લોકો એક મુદ્દા પર જ વધુ ચર્ચા કરશે કે કેવી કેવી રીતે ધરતીના આ વધતા તાપમાનને રોકવું.
ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જ આજે એક મોટી સમસ્યા બની ગયું છે. તે વાતનો અંદોજો તમે તે વાતથી લગાવી શકો છો કે પૂરી દુનિયાના રાજનેતાઓને આ મુદ્દે આગળ આવવું પડ્યું છે. આ એક મુદ્દો તેવો છે જેની આગળ આતંકવાદનો મુદ્દો પણ નબળો પડી રહ્યો છે.
ત્યારે આપણી પૃથ્વી પર કેવા કેવા સંકટ આવવાના છે. અને તો જલ્દી જ આપણે કંઇ ના કર્યું તો આપણે કેટલું મોટું નુક્શાન વેઠવું પડશે તે વિષે જાણો કેટલીક ખાસ વાતો નીચેના આ રસપ્રદ અને રોચક આર્ટીકલમાં...

શું છે ક્લાયમેટ ચેન્જ
ધરતીનું તાપમાન સતત જિયોલોજિકલ ટાઇમ મુજબ બદલાતું રહે છે. ગ્લોબલ એવરેજ ટેમ્પ્રેચર હવે લગભગ 15 ડિગ્રી સેન્ટીગ્રેટ વધી ગયું છે. અને પહેલાના હિસાબે આ ખુબ જ વધુ છે.

શું થશે તેનાથી
વર્તમાન સમયમાં જેટલી જલ્દીથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તેનાથી દુનિયાભરના વૈજ્ઞાનિકો પરેશાન છે. તેમનું કહેવું છે કે આ તાપમાન આગળ જઇને હવામાન પર ખતરનાક પ્રભાવ પાડશે.

ગ્રીનહાઉસ ઇફેક્ટ
ગ્રીનહાઉસ ઇફેક્ટ ધરતીના વાતાવરણ વિષે જાણકારી આપે છે. ધરતીનું વાતાવરણ સૂરજથી ઊર્જા લે છે. અંતરીક્ષથી ધરતીની સતહ પર દેખાતી ચમકતી વસ્તુ છે સોલર એનર્જી. આ એનર્જી વાતાવરણમાં હાજર ગ્રીનહાઉસ ગેસને શોષીને તેને અલગ અલગ દિશાઓમાં ઉત્સર્જિત કરે છે.

શું થશે જો એનર્જી ઓછી થઇ જશે તો?
સોલર એનર્જી વાતાવરણને ઉપરી અને અંદરથી ગર્મ રાખે છે. જો આ પ્રભાવ નહીં બચે તો ધરતીનું તાપમાન 30 ડિગ્રી સુધી ઠંડુ થઇ જશે. જેનાથી જીવવું મુશ્કેલ થઇ જશે.

શું છે ગ્લોબલ વાર્મિંગ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાકૃતિક ગ્રીનહાઉસને ઇન્ડસ્ટ્રી અને કૃષિથી ઉત્સર્જિત થનારી ગેસના લીધે પ્રભાવિત કરાય છે. તેના લીધે ઊર્જાનો ક્ષણ થાય અને તાપમાન વધે છે. જેને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ કહેવાય છે.

ઔદ્યોગિકીરણનું અસર
સન 1750માં જ્યારે ઔદ્યોગિકિરણ શરૂ થયું ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ 30 ટકા વધુ હતું. અને મિથેનનું સ્તર 140 ટકા. ત્યારે વાતાવરણમાં ઓછામાં ઓછા 800,000 વર્ષોથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર નવી ઊંચાઇઓ પર છે.

કેટલું વધશે તાપમાન
વર્ષ 2013ના એક અનુમાન મુજબ 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન વર્ષ 1850ની તુલનામાં લગભગ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેટ વધી જશે.

કેવી રીતે ક્લાઇમેટ ચેન્જ આપણને અસર કરે છે?
ક્લાઇમેટ ચેન્જનો પ્રભાવ અનિશ્ચિત છે. તેના કારણે આવનારા સમયમાં પાણી ઓછું થશે. ખાદ્ય ઉત્પાદન ધટશે. તોફાન, ગર્મી, દુકાળ જેવા કારણોથી લોકોની મોત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
