કેન્સાસ હત્યાને મુદ્દે ભારતે સાધી ચુપ્પી, કારણ H-1B વિઝા
કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યા અંગે ભારતની મોળી પ્રતિક્રિયા પાછળ ઘણા કારણો છે, જેમાં H-1B વિઝા પર યુએસનું નિયંત્રણ સૌથી મોટું કારણ છે.
કેન્સાસ માં ભારતીય એન્જિનિયરની હત્યા અંગે ભારતની પ્રતિક્રિયા પ્રમાણમાં ધીરી અને નિરાશાજનક રહી. કેન્સાસના એક બારમાં મૃત્યુ પામેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યા બાદ ભારત તરફથી રજૂઆત કરવામાં આવી, પરંતુ એ એટલી પ્રબળ રજૂઆત નહોતી.

આ હત્યાથી સમગ્ર દુનિયાને ખૂબ આઘાત લાગ્યો હતો અને ઘણાએ આ માટે ડોનાલ્ડ ટ્રંપ ના વલણને જવાબદાર ગણાવ્યું હતું. આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરવા કે તેને વખોડવા માટે વ્હાઇટ હાઉસ પર જાણે એક રીતનું દબાણ ઊભુ થયું હતું. આખરે બુધવારે ડોનાલ્ડ ટ્રંપ તરફથી અંગે નિવેદન કરવામાં આવ્યું.
મોટા ભાગે આવા કિસ્સાઓમાં ભારતની રજૂઆત ખૂબ ન્યાયપૂર્વકની અને પ્રબળ હોય છે, દરેક મુદ્દાની બરાબર તપાસ થાય, કાર્યવાહી સમયસર અને વ્યવસ્થિત રીતે થાય એ વાત પર ભારત ભાર મૂકે છે. ભારતના વિદેશ સચિવ એસ.જયશંકર હાલ અમેરિકાની મુલાકાતે છે અને તેમણે જણાવ્યું હતું કે, દરેક મુદ્દે ગહન તપાસ કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતને ખાતરી આપવામાં આવી છે કે, એન્જિનિયરની હત્યા કરનારને કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો અમેરિકા તરફથી આ ખાતરી મળી ગઇ હોય તો ભારતીય અધિકારીએ અમેરિકા જવાની જરૂર શું?
આ સંપૂર્ણ ઘટના અંગે ભારતની મોળી પ્રતિક્રિયા પાછળ ઘણા કારણો છે, જેમાં H-1B વિઝા પર અમેરિકાનું નિયંત્રણ સૌથી મોટું કારણ છે. ટ્રંપે કહ્યું હતું કે, તેઓ ભારતમાંથી તમામ સોફ્ટવેર જોબ પાછી લાવશે. તેમના આ નિવેદન બાદ ભારતની ચિંતા વધી છે. 60 ટકા જેટલા H-1B વિઝા ભારતીય કંપનીઓના ફાળે આવે છે. એટલે કે 150 અબજ ડોલરની ઇન્ડસ્ટ્રી અત્યારે દાવ પર છે. અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટ કરવા માટે પણ ભારત દ્વારા જયશંકરને ત્યાં મોકલવામાં આવ્યા છે. ભારતનો મુદ્દો છે કે, સ્કિલ્ડ ભારતીય કર્મચારીઓને કારણે અમેરિકન કંપનીઓને પણ ખૂબ ફાયદો થાય છે.
ભારત અમેરિકા સાથે ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે, કારણ કે ટ્રંપ હાલ એક રાષ્ટ્રવાદી એજન્ડા પર ચાલી રહ્યાં છે. H-1B વિઝાનો મુદ્દે ટ્રંપ ઘણા ગંભીર છે અને આથી જ ભારત એમેરિકા સાથેની વાટાઘાટોમાં ખૂબ ધીમું અને સાવધાન છે. ડોનાલ્ડ ટ્રંપની ફર્સ્ટ સ્પિચમાં જ્યારે તેમણે કેન્સાસમાં ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો ત્યારે ભારતે પણ કેટલેક અંશે રાહતનો શ્વાસ લીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
