આ કાયદો અટકાવી રહ્યો છે નરેન્દ્ર મોદીના US વિઝા
નવી દિલ્હી, 5 મે : ગુજરાતના મુખ્યમંત્રી અને હવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અમેરિકા તરફથી વિઝા નહીં મળવાના મુદ્દે ભારતમાં તો ઠીક પણ વિદેશોમાં પણ રાજકારણ રમવામાં આવ્યું છે. આ મુદ્દે અનેક પ્રકારની વાતો અને અફવાઓ પણ ચગાવવામાં આવી. સામાન્ય સમજ એવી છે કે નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણોમાં કટ્ટરવાદી ચહેરાને કારણે અમેરિકા વિઝા નથી આપી રહ્યો. વાસ્તવિકતા અલગ છે.
નરેન્દ્ર મોદીને અમેરિકાની વિઝા નહીં મળવા અંગેનું સત્ય અલગ છે. નરેન્દ્ર મોદી દુનિયાની પહેલી એવી વ્યક્તિ છે જેમને અમેરિકાએ ત્યાંના કાયદાને કારણે વિઝા નથી આપ્યા અને એન્ટ્રી નથી આપી. આ કાયદો પ્રથમવાર 1998માં અમલમાં આવ્યો હતો.

બુશ અને ઓબામા મજબૂર
આ કાયદાને કારણે સૌ પ્રથમવાર વર્ષ 1995માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે નમતું જોખવું પડ્યું હતું. હવે બરાક ઓબામા આ કાયદાની આગલ મજબૂર છે.

હાસ્યાસ્પદ કાયદા
આ કાયદાના સંદર્ભમાં અમેરિકાના અખબાર વૉલસ્ટ્રીટ જર્નલે સોમવાર 5 મે, 2014ના રોજ લખ્યું છે કે ક્યારેક ક્યારેક અમેરિકાની નીતિઓ એટલી અટપટી હોય છે કે તે સમજવામાં તો મુશ્કેલ હોય જ છે, સાથે હાસ્યાસ્પદ પણ હોય છે.

મોદી PM બનશે પછી શું?
આવનારા સપ્તાહોમાં દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત તેના નવા વડાપ્રધાન મેળવી લેશે. રાજકીય નિષ્ણાતો સ્પષ્ટ રીતે જોઇ રહ્યા છે કે અમેરિકા જે વ્યક્તિને વિઝા આપવાનો ઇનકાર કરી રહ્યો છે, તે જ વ્યક્તિ ભારતના વડાપ્રધાન બનવા જઇ રહી છે.

નવ વર્ષ પહેલા 'ના'
લગભગ નવ વર્ષ પહેલા અમેરિકાના અધિકારીઓએ નરેન્દ્ર મોદીને એ સમયે વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેઓ ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન પર ભારતીય-અમેરિકનોની એક રેલીને સંબોધિત કરવાના હતા. મોદી આ રેલીમાં જવાની તૈયારી કરી રહ્યા હતા કે સમાચાર આવ્યા કે અમેરિકાએ તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે.

મોદીને વિઝામાં અવરોધ બનતો કાયદો શું છે?
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક એવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેની જાણકારી આજે પણ બહુ ઓછા લોકો પાસે છે. અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી પાસ કરવામાં આવેલા આ કાયદા અંતર્ગત અમેરિકન રાજદૂતોમાં નિયુક્ત વિદેશી અધિકારી કોઇ પણ એવી વ્યક્તિને વિઝા નથી આપી શકતી જેના પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો આરોપ હોય.

અમેરિકાએ સ્વીકાર્યું
આ કાયદો પ્રથમવાર 1998માં અમલમાં આવ્યો હતો. અમેરિકાના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે નરેન્દ્ર મોદી દુનિયાની પહેલી એવી વ્યક્તિ છે જેમને અમેરિકાએ ત્યાંના કાયદાને કારણે વિઝા નથી આપ્યા અને એન્ટ્રી નથી આપી.

અમેરિકાએ કાયદો બદલવો પડશે?
નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની જશે તો શક્ય છે કે અમેરિકાએ અનિચ્છાએ પણ નરેન્દ્ર મોદીને વિઝા આપવા પડે. આ માટે તેમણે પોતાના કાયદામાં ફેરફાર કરવા પડી શકે છે. આવી સ્થિતિમાં ઓબામા પ્રશાસને કેટલાક આકરા નિર્ણયો લેવા પડી શકે છે.

અમેરિકામાં જ થયો હતો આ કાયદાનો વિરોધ
વર્ષ 1998માં જ્યારે કોંગ્રેસે ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટને પાસ કર્યો હતો ત્યારે અમેરિકાએ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ પર એક સ્ટેન્ડિંગ કમિટી બનાવી હતી જેથી ધાર્મિક અત્યાચાર સામેની લડાઇ લડી શકાય.

અમેરિકાએ કેમ બનાવ્યો આવો કાયદો?
અમેરિકાને આવો કાયદો બનાવવાની જરૂર શા માટે પડી એવો પ્રશ્ન થાય. જવાબ એ છે કે તે સમયે અમેરિકન કોંગ્રેસના અનેક સભ્યો એ વાતથી ચિંતિત હતા કે ચીન અને સૂડાન જેવા દેશોમાં ખ્રિસ્તિઓએ અનેક પ્રકારના અત્યાચારો સહન કરવા પડે છે.

આ કાયદા અંગે ચેતવ્યા હતા
નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચની તરફથી એ સમયે ચેતવણી પણ આપવામાં આવી હતી કે નવા કાયદાને કારણે ખ્રિસ્તીઓએ અન્ય ધર્મોમાં માનનારા લોકો તરફથી બહિષ્કારનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાએ કેમ બનાવ્યો આવો કાયદો?
અમેરિકાને આવો કાયદો બનાવવાની જરૂર શા માટે પડી એવો પ્રશ્ન થાય. જવાબ એ છે કે તે સમયે અમેરિકન કોંગ્રેસના અનેક સભ્યો એ વાતથી ચિંતિત હતા કે ચીન અને સૂડાન જેવા દેશોમાં ખ્રિસ્તિઓએ અનેક પ્રકારના અત્યાચારો સહન કરવા પડે છે.
બુશ અને ઓબામા મજબૂર
આ કાયદાને કારણે સૌ પ્રથમવાર વર્ષ 1995માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે નમતું જોખવું પડ્યું હતું. હવે બરાક ઓબામા આ કાયદાની આગલ મજબૂર છે.
હાસ્યાસ્પદ કાયદા
આ કાયદાના સંદર્ભમાં અમેરિકાના અખબાર વૉલસ્ટ્રીટ જર્નલે સોમવાર 5 મે, 2014ના રોજ લખ્યું છે કે ક્યારેક ક્યારેક અમેરિકાની નીતિઓ એટલી અટપટી હોય છે કે તે સમજવામાં તો મુશ્કેલ હોય જ છે, સાથે હાસ્યાસ્પદ પણ હોય છે.
મોદી PM બનશે પછી શું?
આવનારા સપ્તાહોમાં દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત તેના નવા વડાપ્રધાન મેળવી લેશે. રાજકીય નિષ્ણાતો સ્પષ્ટ રીતે જોઇ રહ્યા છે કે અમેરિકા જે વ્યક્તિને વિઝા આપવાનો ઇનકાર કરી રહ્યો છે, તે જ વ્યક્તિ ભારતના વડાપ્રધાન બનવા જઇ રહી છે.
નવ વર્ષ પહેલા 'ના'
લગભગ નવ વર્ષ પહેલા અમેરિકાના અધિકારીઓએ નરેન્દ્ર મોદીને એ સમયે વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેઓ ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન પર ભારતીય-અમેરિકનોની એક રેલીને સંબોધિત કરવાના હતા. મોદી આ રેલીમાં જવાની તૈયારી કરી રહ્યા હતા કે સમાચાર આવ્યા કે અમેરિકાએ તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે.
મોદીને વિઝામાં અવરોધ બનતો કાયદો શું છે?
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક એવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેની જાણકારી આજે પણ બહુ ઓછા લોકો પાસે છે. અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી પાસ કરવામાં આવેલા આ કાયદા અંતર્ગત અમેરિકન રાજદૂતોમાં નિયુક્ત વિદેશી અધિકારી કોઇ પણ એવી વ્યક્તિને વિઝા નથી આપી શકતી જેના પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો આરોપ હોય.
અમેરિકાએ સ્વીકાર્યું
આ કાયદો પ્રથમવાર 1998માં અમલમાં આવ્યો હતો. અમેરિકાના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે નરેન્દ્ર મોદી દુનિયાની પહેલી એવી વ્યક્તિ છે જેમને અમેરિકાએ ત્યાંના કાયદાને કારણે વિઝા નથી આપ્યા અને એન્ટ્રી નથી આપી.
અમેરિકાએ કાયદો બદલવો પડશે?
નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની જશે તો શક્ય છે કે અમેરિકાએ અનિચ્છાએ પણ નરેન્દ્ર મોદીને વિઝા આપવા પડે. આ માટે તેમણે પોતાના કાયદામાં ફેરફાર કરવા પડી શકે છે. આવી સ્થિતિમાં ઓબામા પ્રશાસને કેટલાક આકરા નિર્ણયો લેવા પડી શકે છે.
અમેરિકામાં જ થયો હતો આ કાયદાનો વિરોધ
વર્ષ 1998માં જ્યારે કોંગ્રેસે ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટને પાસ કર્યો હતો ત્યારે અમેરિકાએ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ પર એક સ્ટેન્ડિંગ કમિટી બનાવી હતી જેથી ધાર્મિક અત્યાચાર સામેની લડાઇ લડી શકાય.
અમેરિકાએ કેમ બનાવ્યો આવો કાયદો?
અમેરિકાને આવો કાયદો બનાવવાની જરૂર શા માટે પડી એવો પ્રશ્ન થાય. જવાબ એ છે કે તે સમયે અમેરિકન કોંગ્રેસના અનેક સભ્યો એ વાતથી ચિંતિત હતા કે ચીન અને સૂડાન જેવા દેશોમાં ખ્રિસ્તિઓએ અનેક પ્રકારના અત્યાચારો સહન કરવા પડે છે.
આ કાયદા અંગે ચેતવ્યા હતા
નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચની તરફથી એ સમયે ચેતવણી પણ આપવામાં આવી હતી કે નવા કાયદાને કારણે ખ્રિસ્તીઓએ અન્ય ધર્મોમાં માનનારા લોકો તરફથી બહિષ્કારનો સામનો કરવો પડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
