આતંકવાદીઓને પાકિસ્તાની મંત્રી અને 2 વિદેશી નાગરિકોનું કર્યું અપહરણ, કરી આ માગ
જેલમાં કેદ પોતાના સાથીઓને છોડવાની માગ સાથે આતંકવાદિઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતને ગિલગિત-બલ્ટિસ્તાનને જોડતા હાઇવેને જામ કરી દીધો હતા.
જેલમાં કેદ પોતાના સાથીઓને છોડવાની માગ સાથે આતંકવાદિઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતને ગિલગિત-બલ્ટિસ્તાનને જોડતા હાઇવેને જામ કરી દીધો હતા. જે બાદ સ્થળ પર ફસાયેલા દિગ્ગજ નેતા બેગ હુંજા અને બે વિદેશી નાગરિકોનું આતંકવાદિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બેગ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ સાથે જોડાયેલા છે અને હાલમાં ધારાસભ્ય છે.

અપહરણકર્તાઓનો સંપર્ક કરીને તમામ લોકોને છોડી મૂકવા માટે વાટાઘાટો કરવામાં આવી હતી. જે બાદ તેમણે પોતાની શરતો જણાવી તમામ લોકોને છોડી મૂક્યા હતા. આ સાથે તેમણે ધમકી આપી હતી કે, જો તેમની શરતો 10 દિવસમાં પૂરી નહીં થાય તો માઠા પરિણામ ભોવવા માટે તૈયાર રહેજો.
આ સાથે લેટેસ્ટ માહિતી આપતા પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, જીબીના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કમાન્ડર હબીબુર રહેમાન જૂથના આતંકવાદીઓએ દિયામેરના ચિલાસના થક ગામમાં રસ્તો બંધ કરી દીધો છે. રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો અને બંને તરફ મુસાફરો અટવાયા હતા. હબીબુર રહેમાન પર નંગા પરબતમાં 10 વિદેશીઓની હત્યા કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, જે આતંકવાદીઓની મુક્તિની માગ કરવામાં આવી રહી છે, તેઓ વિદેશીઓની હત્યામાં શામેલ છે.
મંત્રીની ઓડિયો ક્લિપ સામે આવી
આવા સમયે, જીબીના વરિષ્ઠ મંત્રી અબેદુલ્લા બેગનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. ઓડિયોમાં બેગ કહેતા સાંભળવા મળે છે કે, તે ઈસ્લામાબાદથી ગિલગિટ જઈ રહ્યો હતો, પરંતુ આતંકવાદીઓએ તેમના સહયોગીઓને જેલમાંથી મુક્ત કરવાની માંગણી સાથે હાઇવે અધવચ્ચે બ્લોક કરી દીધો હતો. જોકે, થોડા સમય બાદ જ્યારે મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
વાટાઘાટોમાં આતંકવાદીઓની બે માગ
સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરવા અંગે જિલ્લાના રાજકીય નેતાઓ અને અધિકારીઓ સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. જોકે હજૂ સુધી પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાનના મંત્રીની એક 'ઓડિયો ક્લિપ' સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, કમાન્ડર સાથે વાતચીત ચાલી રહી છે અને આતંકવાદીઓની બે મુખ્ય માંગણીઓ છે. પ્રથમ માંગણી તેના સાથીઓને જેલમાંથી મુક્ત કરવાની છે અને બીજી ઇસ્લામિક કાયદાના અમલની છે.
અપહરણકારો સાથે સંપર્ક
ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પૂર્વ પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે, મંત્રીની મુક્તિ માટે આતંકવાદીઓ સાથેની વાતચીતમાં તેઓ પોતે હાજર હતા. અપહરણ કરાયેલા વરિષ્ઠ મંત્રી બેગ હુન્ઝા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ધારાસભ્ય છે. તેમની સાથે બે વિદેશી નાગરિકોનું પણ અપહરણ કરવામાં આવ્યું છે, જેમની મુક્તિ માટે અપહરણકર્તાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે મોડી સાંજે તેને પણ છોડી મૂકવામાં આવ્યો હતો.
સંસદ અને જનતાને વિશ્વાસમાં લો - ગૃહ મંત્રાલય
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના સાંસદ રઝા રબ્બાનીએ સેનેટ સ્પીકર સાદિક સંજરાનીને જાહેર ચિંતાના મુદ્દા પર કહ્યું કે, તેમણે ગૃહ પ્રધાનને ટીટીપી સાથેની શાંતિ વાટાઘાટોની વર્તમાન સ્થિતિ વિશે સંસદ અને સામાન્ય જનતાને વિશ્વાસમાં લેવા વિનંતી કરી હતી. ગૃહ મંત્રાલયે તાજેતરમાં TTP સાથે મંત્રણા અટકાવવા અથવા તેના જૂથો દ્વારા આતંકવાદી હુમલાના વધતા જોખમ સામે ચેતવણી આપી હતી.
હોટલમાં વિદેશીઓની હત્યા કરાઇ
2013માં આ બંદૂકધારીઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાનના નંગા પરબત જતા પર્વતારોહકોને નિશાન બનાવ્યા હતા. બંદૂકધારીઓએ ચીન, યુક્રેન અને રશિયાના નાગરિકો સહિત નવ પ્રવાસીઓ અને એક પાકિસ્તાની માર્ગદર્શકની ગોળી મારીને હત્યા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
