સાઉદીમાં 10 ભારતીયોનું મૃત્યુ, સુષ્મા સ્વરાજે આપી મદદની ખાતરી
સાઉદી આરબના નજરાનમાં આગ લાગતાં 10 ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા છે. આ અંગેના ટ્વીટનો જવાબ આપતાં સુષ્મા સ્વરાજે મદદની ખાતરી આપી છે.
સાઉદી આરબના નજરાનમાં એક ઘરમાં આગ લાગતાં 10 ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકોનું મૃત્યુ થયું હતું. આ ઘરમાં કોઇ બારી ન હોવાને કારણે તેઓ બચી ન શક્યા. આ દસેય લોકો એક ઘરમાં સાથે રહેતા હતા. ઉપરાંત આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, એક જૂના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ દુઃખદ ઘટના અંગે ટ્વીટ કરતાં કહ્યું કે, મને આ ઘટનાની જાણકારી છે, ઘટનાની તપાસ માટે કેટલાક અધિકારીઓને પહેલી જ ફ્લાઇટથી રવાના કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં વિદ્યા નામની એક મહિલાએ ટ્વીટ કરી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી હતી. મહિલાએ લખ્યું હતું કે, તેના ઘરમાં કામ કરતી મહિલાના પતિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે અને તેના મૃત શરીરને લાવવામાં કોઇ તેની મદદ નથી કરી રહ્યું. આ મહિલાના ટ્વીટના જવાબમાં સુષ્મા સ્વરાજે ઉપરોક્ત ટ્વીટ કર્યું હતું.
સુષ્મા સ્વરાજે આ ઘટના અગે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, નજરાનમાં ઘટેલ દુર્ઘટાની મને જાણકારી છે, જેમાં 10 ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું છે અને 6 નાગરિકો હોસ્પિટલમાં દાખલ છે. મેં જેદ્દાહના કાઉન્સિલ જનરલ સાથે વાત કરી છે, જેદ્દાહ નજરાનથી 900 કિમી દૂર છે. અમારા અધિકારીઓ પહેલી ફ્લાઇટ પકડીને ઘટનાસ્થળ તરફ રવાના થઇ ગયા છે. અમારા કાઉન્સિલ જનરલ નજરાનના ગવર્નરના સંપર્કમાં છે અને તેઓ મને સતત આ ઘટનાની તાજેતરની જાણકારી પહોંચાડી રહ્યાં છે.
I am aware of the fire tragedy in Najran in which we have lost 10 Indian nationals and six injured are in the hospital. /1 https://t.co/feOTqPnn2E
— Sushma Swaraj (@SushmaSwaraj) July 12, 2017
I have spoken to Consul General Jeddah. Najran is 900 Kms from Jeddah. Our staff is rushing by the first flight available. /2
— Sushma Swaraj (@SushmaSwaraj) July 12, 2017
Our Consul General is in touch with the Governor of Najran. He is updating me on regular basis. /3
— Sushma Swaraj (@SushmaSwaraj) July 12, 2017
આ ઘટનામાં મૃત્યુ પામેલ ભારતીય નાગરિકો એક નિર્માણ કંપની માટે કામ કરતા હતા અને ગોલ્ડ માર્કેટ ફેસલિહામાં રહેતા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ 6 લોકોમાંથી 4 ભારતીયો છે. નજરાનના ગવર્નર પ્રિંસ જૂવી બિન અબ્દેલઅઝીઝે આ સંપૂર્ણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
