મોદી-નવાઝ વચ્ચે નક્કાર વાતની શરૂઆત : સરતાજ અઝીઝ
ઇસ્લામાબાદ, 28 મે : પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે થયેલી બેઠકમાં દરેક મુદ્દે નક્કર વાતચીત કરવામાં આવી હતી. બુધવારે આ અંગેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં આપતા નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સકારાત્મક રહી છે અને જેટલી આશા હતી, તેનાથી વધારે સારી વાતચીત થઇ છે.
સરતાજે જણાવ્યું કે મોદી અને શરીફ વચ્ચે શાંતિથી ચર્ચા યોજાઇ હતી. આ મુલાકાત માત્ર ફોટો ખેંચવા પૂરતી ન હતી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે એકાંતમાં પણ વાતચીત થઇ. તેમણે આ મુદ્દે મોદી સરકારની તારીફ કરી છે.
તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને આતંકવાદ સામે લડવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે લાહોર સમજુતિ અંતર્ગત કાશ્મીર પર બંને દેશો વચ્ચે વાતચીત થશે. સરતાજે સ્પષ્ટ જણાવ્યું કે બંને દેશો વચ્ચે વાતચીતનો એજન્ડા માત્ર કાશ્મીર ન હતો. પરંતુ કાશ્મીર પર હુર્રિયતની અવગણના કરી શકાય તેમ નથી.

આ પહેલાના ઘટનાક્રમમાં આજે જ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાનો કાર્યભાર સંભાળી લીધા બાદ યોજેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યું કે અમે સમગ્ર દુનિયા સાથે સારા સંબંધો જાળવવા માંગીએ છીએ. આ પહેલા અમે સાર્ક દેશો સાથે વાતચીત કરી છે. સુષ્માએ ભારત અને પાકિસ્તાન માટે જણાવ્યું કે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે વાતચીત સફળ થઇ છે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન સાથે સારા સંબંધો રહે.
મંગળવારે નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે પણ બેઠક યોજીઇ હતી. હૈદરાબાદ હાઉસ પહોંચેલા નવાઝ શરીફનું ભાવપૂર્વક સ્વાગત કરાયા બાદ બંને નેતાઓ ઉત્સાહભેર મળ્યા હતા. આ બેઠક અંદાજે 50 મીનિટ ચાલી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી બનેલા સુષ્મા સ્વરાજ પણ જોડાયા હતા.
અડધા કલાકથી પણ વધારે સમય માટે યોજાયેલી બેઠકમાં બંને દેશોના પારસ્પરિક સંબંધોને વધારે મજબૂત બનાવવા અંગે વાત થઇ હતી. આ ઉપરાંત પાછલા સપ્તાહે હેરાતમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે પણ વાત કરવામાં આવી હતી. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ આ મુજબ હતા...
1. આતંકવાદી હુમલાઓનો અંત આવવો જોઇએ
2. 26/11ની ટ્રાયલ અસંતોષકારી અને ધીમી છે
3. 26/11ના મુખ્ય માસ્ટર માઇન્ડસ સામે પગલાં શા માટે નહીં?
4. આતંકવાદ મુદ્દે પ્રાદેશિક સહયોગ વધારવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
