શ્રીલંકા બ્લાસ્ટઃ કોલંબોમાં ચર્ચ પાસે થયો વધુ એક ધમાકો, બોમ્બ ડિફ્યુઝ કરતા થયો બ્લાસ્ટ
સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે.
સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ ધમાકો બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે થયો છે. રવિવારે ઈસ્ટરના પ્રસંગે કોલંબો અને બીજી બે જગ્યાએ આઠ સીરિયલ બ્લાસ્ટ્સમાં 290 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ પણ છે. શ્રીલંકાની સરકારનું કહેવુ છે કે આ હુમલાઓને સુસાઈડ બોમ્બર્સ તરફથી અંજામ આપવામાં આવ્યો તેમને વિદેશી મદદ મળી હતી.

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાને જોઈએ મદદ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાના ઓફિસ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ બીજા દેશોની મદદ લેશે જેશી સીરિયલ બ્લાસ્ટ્સ પાછળની વિદેશી તાકાતો વિશે જાણી શકાય. આતંકીઓએ શ્રીલંકાના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલ્સને હુમલાના નિશાન બનાવ્યા હતા. સરકાર તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઈન્ટેલીજન્સ રિપોર્ટ્સમાં એ વાતની માહિતી મળી છે કે વિદેશ આતંકી સંગઠનોએ સ્થાનિક આતંકીઓની મદદ કરી હતી. એવામાં વિદેશી સરકારોની મદદની જરૂર પડશે.
Reuters: An explosion went off in a van near a church in Colombo, #SriLanka when bomb squad officials were trying to defuse it. pic.twitter.com/eBpIUKk7Pt
— ANI (@ANI) 22 April 2019
આજે અડધી રાતથી લાગશે ઈમરજન્સી
વળી, બીજી તરફ સોમવારે અડધી રાતથી શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશમાં ઈમરજન્સી લગાવવાનું એલાન કર્યુ છે. શ્રીલંકાની સરકારનું માનવુ છે કે હુમલાને એક સ્થાનિક આતંકી સંગઠન જેને નેશનલ તોહીદ જમાત (એનટીજે) ના નામથી ઓળખવામાં આવે છે, તેને અંજામ આપ્યો છે. દેશમાં સોમવારથી ઈમરજન્સી લાગવાનો અર્થ હશે કે પોલિસ અને મિલિટ્રીને વધુ પાવર આપી દેવામાં આવશે. ઈમરજન્સી બાદ સેના અને પોલિસને શંકાસ્પદોની ધરપકડ કરવાની અને તેમની પૂછપરછ કરવા માટે કોર્ટના ઓર્ડર્સની જરૂર નહિ પડે. શ્રીલંકામાં સિવિલ વૉર સમયે આ રીતની ઈમરજન્સી લાગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
