રશિયાઃ ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતાં 41 યાત્રીઓના મોત
રશિયાઃ ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતાં 41 યાત્રીઓના મોત
મોસ્કોઃ રશિયાના મોસ્કો એરપોર્ટ પર વિમાની દુર્ઘટનામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું, આ દરમિયાન વિમાનમાં આગ લાગી ગઈ હતી, આગ એટલી ભીષણ હતી કે લોકોને વિમાનની બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને 41 લોકોનું દર્દનાક મૃત્યુ થયું. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સુખોઈ સુપરજેટ 100 ઉપર-નીચે ડગમગતું લેન્ડ થયું. જેને કારણે વિમાનમાં આગ લાગી ગઈ અને આગની લપેટ તેજીથી ઉઠવા લાગી. ઘટના બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અને પીએમ દિમિત્રી મેદવેદેવે આના પર દુઃખ જતાવ્યું છે અને મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે જેથી દુર્ઘટનાનું કારણ સામે આવી શકે.

કુલ 73 યાત્રી સવાર હતા
જાણકારી મુજબ એસયૂ 1492 વિમાનમાં આગ લાગ્યા બાદ લોકો ઈમરજન્સી સ્લાઈડથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા, જેમાં કેટલાક લોકો સફળ પણ થયા, પરંતુ ક્રેશને કારણે લાગેલી ભીષણ આગને કારણે બધા લોકો વિમાનની બહાર ન નીકળી શક્યા. આ વિમાન મોસ્કોથી મર્માસ્ક જઈ રહ્યું હતું, જેમાં કુલ 73 યાત્રી સવાર હતા, જ્યારે 5 ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા. રશિયાની તપાસ કમિટીના પ્રવક્તા સ્વાતલના પેટ્રેંકોએ જણાવ્યું કે 78માંથી 37 લોકો વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જ્યારે 41 લોકોનું મૃત્યુ થયું છે.
An Aeroflot plane with 73 passengers and 5 crew members landed in flames at Moscow's Sheremetevo Airport, killing as many as 41 people, according to Russian media pic.twitter.com/5PObPKHGZI @tictoc
— Karim RAFFA (@WinkySolutions) May 6, 2019
ખરાબ હવામાનને કારણે દુર્ઘટના ઘટી
જો કે હજુ સુધી સત્તાવાર રૂપે આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે આખરે કયા કારણસર વિમાનમાં આગ લાગી. તપાસ એજન્સીનું કહેવું છે કે મામલાની તપાસ કરી રહ્યા છીએ કે શું પાયલટે સુરક્ષા માપદંડનો ઉલ્લંઘન કર્યો છે કે નહિ. કેટલાક યાત્રીઓનું કહેવું છે કે ખરાબ હવામાન અને આસમાની વીજળીને કારણે આ દુર્ઘટના ઘટી. એક યાત્રી પ્યોત્ર ઈગોરોવે જણાવ્યું કે અમે જ્યારે ઉડાણ ભરી ત્યારે જ વિમાન પર વિજળી પડી હતી. અમે બહુ ડરી ગયા હતા, અમે લોકો બેભાન થઈ ગયા હતા. વિમાન એકદમથી સ્ટ્રિપ પર અથડાયું અને તેમાં આગ લાગી ગઈ.
આ પણ વાંચો- ફરી દુર્ઘટનાગ્રસ્ત બન્યું બોઈંગ 737, અમેરિકાની નદીમાં ખાબક્યું પ્લેન, બધા પ્રવાસીઓ સુરક્ષિત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
