ગુમ વિમાનના કોઇ સંકેત નહી, રડાર પર જોવા મળી હતી અજ્ઞાત વસ્તુ
કુઆલાલંપુર, 13 માર્ચ: દુનિયાના કેટલાક દેશોના અથાગ પ્રયત્ન છતાં રહસ્યમય રીતે ગાયબ થયેલા મલેશિયા એરલાઇન્સના વિમાનના પાંચમા દિવસે બુધવારે કોઇપણ પત્તો લાગ્યો નથી. શોધખોળની સીમા વધારવામાં આવ્તાં મલેશિયાના એક અધિકારીએ બુધવારે કહ્યું હતું કે વિમાન ગાયબ થયું તે દિવસે સેનાના રડાર પર એક અજ્ઞાત વસ્તુ જોવા મળી હતી.
મલેશિયા વાયુ સેનાના પ્રમુખ જનરલ રોદજાલી દાઉદે સંવાદદાતાઓને કહ્યું હતું કે સેનાના રડાર પર શનિવારે રાત્રે 2.15 વાગ્યાની આસપાસ 320 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ પેનાગ દ્રીપ પર એક સંકેત પકડમાં આવ્યો હતો. તેમને કહ્યું હતું કે 'હું એમ નથી કહી રહ્યો કે આ એમએચ 370 હતું. અમે હજુ તેની તપાસ કરી રહ્યાં છીએ. આ એક અજ્ઞાત વસ્તુ હતી.
મલેશિયા એરલાઇન્સનું વિમાન એમએચ 370 શનિવારે રાત્રે 239 મુસાફરોને લઇને કુઆલાલંપુરથી બીજિંગ માટે ઉડાણ ભરી હતી પરંતુ વિયતનામા તટ નજીક ચીન સાગરના ઉપરથી પસાર થતી વખતે વાયુ નિયંત્રણથી સંપર્ક તૂટી ગયો. માનવામાં આવે છે કે બોઇંગ 777-2000 ઇઆર વિમાન વિયતનામા સમુદ્ર તટ પર દક્ષિણ ચીન સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇને પડી ગયું હતું.
વિમાન 12.41 વાગે કુઆલાલંપુરથી રવાના થયું હતું અને શનિવારે સવારે 6.30 વાગે બીજિંગમાં તેને ઉતરવાનું હતું. વિમાનમાં 227 મુસાફરો અને ચાલક દળના 12 લોકો સવાર હતા. યાત્રીઓમાં પાંચ ભારતીય, 154 ચીની અને 38 મલેશિયાઇ તથા અન્ય દેશોના નાગરિક હતા. વિમાનનો સંપર્ક 1.40 વાગે તૂટી ગયો, તે સમયે આ વિયતનામાના હો ચી મિન્હ વાયુ ટ્રાફિક નિયંત્રણ વિસ્તારમાં હતું.
આ પહેલાં બુધવારે વાયુ સેના પ્રમુખે તે સમાચારોને નકારી કાઢ્યા છે કે સેનાના રડારે એમએચ 370ને મલક્કાની ખાડી પર ઉડતું જોવા મળ્યું હતું, જો કે તેમણે આ વાતની સંભાવનાથી મનાઇ કરી ન હતી ગાયબ થતાંપ અહેલાં વિમાન પાછળની તરફ વળ્યું હતું. આ સૂચના પર અમલ કરતાં આંતરરાષ્ટ્રીય તલાશી અભિયાનમાં વધુ દેશો સામેલ કરવામાં આવ્યા છે અને તેનો દાયરો વધારી દેવામાં આવ્યો છે.

વિમાનમાં ચોરીના પાસપાર્ટ પર મુસાફરી કરનાર બે ઇરાની મુસાફરોની જાણ થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદી નેટવર્કની તપાસ કરવામાં આવી છે. અમેરિકન ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇંટેલીજેન્સ એજન્સી (સીઆઇએ)ના પ્રમુખ જોન બ્રેન્નને મંગળવારે કહ્યું હતું કે આતંકવાદી ગતિવિધીઓની આશંકાને નકારી ના કાઢી શકાય.તેમને પૂછવામાં આવ્યું હતું કે શું એજન્સી આ મામલામાં આતંકવાદી ગતિવિધિની સંભાવનાને નકારી કાઢે છે, સીઆઇએ પ્રમુખે કહ્યું હતું કે નહી બિલકુલ નહી.
આ દરમિયાન મલેશિયા એરલાયન્સે પોતાની વેબસાઇટ પર તાજા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં સૌથી વધુ ધ્યાન મુસાફરો અને ચાલક દળન સભ્યોના પરિવારજનો પર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેનો અર્થ તેમને પળપળની માહિતી પુરી પાડવી. મુસાફરીની સુવિધા આપવી, ભોજન, ચિકિત્સા અને ભાવનાત્મક સમર્થન આપવાનું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
