મારા સમયમાં જૈશની મદદથી પાકિસ્તાન ભારતમાં કરાવતું હતું બ્લાસ્ટઃ મુશર્રફ
જૈશની મદદથી આપણે ભારત પર હુમલા કરાવતાઃ પરવેઝ મુશર્રફ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્પતિ જનરલ પરવેઝ મુશર્રફે એક સાક્ષાત્કારમાં સ્વીકાર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સરકારના કહેવા પર જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે ભારતીય જમીન પર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. પાકિસ્તાન સ્થિત પત્રકાર નદીમ મલિકને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં મુશર્રફે જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવી રહેલ કાર્યવાહીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આ એ જ સંગઠન છે જેણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જૈશ એ મોહમ્મદે જ મારી હત્યાની કોશિશ કરી હતી
પરવેઝ મુશર્રફે કહ્યું કે આ એક સારી ચાલ છે. મેં હંમેશા કહ્યું કે જૈશ એ મોહમ્મદ એક આતંકી સંગઠન છે અને તેમણે મારી હત્યા કરવાની કોશિશમાં આત્મઘાતી હુમલો પણ કર્યો હતો. તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જઈએ. મને ખુશી છે કે સરકાર તેમની વિરુદ્ધ સખ્ત વલણ અપનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2003માં ઝંડા ચીચીમાં જૈશ એ મોહમ્મદે પરવેઝ મુશર્રફના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાને યાદ કરતા મુશર્રફે કહ્યું કે આ સૌભાગ્યની વાત છે કે તેઓ આ પ્રયાસમાં મૃત્યુ ન પામ્યા.

જૈશ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય પગલું
મુશર્રફે કહ્યું કે હુમલાવરે થોડી સેકન્ડ મોડું બટન દબાવ્યું અને ત્યાં સુધીમાં મેં પુલ પાર કરી લીધો હતો. મુશર્રફે કહ્યું કે જૈશ વિરુદ્ધ કાર્યવાહી એક યોગ્ય પગલું છે અને આ કાર્યવાહી પહેલા જ કરી લેવી જોઈતી હતી. જ્યારે ટીવી એન્કરે પરવેઝ મુશર્રફને પૂછ્યું કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે તમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી એ સમયે તો તમે દેશમાં સૌથી પાવરફુલ હતા. તમારી સત્તામાં કમજોરી 2007 બાદ આપી?
|
અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા
આ સવાલના જવાબમાં પરવેઝ મુશર્રફે કહ્યું કે મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. એ જમાનો હતો જ્યારે આમાં આપણા ઈન્ટેલિજેન્સ વાળા સામેલ હતા. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જૈસે કો તૈસા વાળું વલણ અપનાવવામાં આવી રહ્યું હતું. તેઓ પાકિ્સતાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા અને અમે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવી રહ્યા હતા. તે જમાનામાં આ સિલસિલો ચાલતો રહેતો હતો. તે એ સિલસિલામાં તેમણે કોઈ કાર્યવાહી ન કરી તો મેં પણ તેમના પર કોઈ દબાણ ન નાખ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
