Nepal Earthquake: નેપાલમાં ભયાનક ભૂકંપ, ભારતે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર
Nepal Earthquake: નેપાળમાં ફરી ભૂકંપના આંચકા નોધાયા છે. એક જ દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા નોંધાવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ જાજરકોટ અને રુકુમમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિનાશકારી ભૂકંપના આંચકા રવિવારની સવારે નોંધાયા હતા. જેની તીવ્રતા 3.6 માપવામાં આવી છે.
નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપ રવિવારે સવારે 4:38 કલાકે આવ્યો હતો, તેનું કેન્દ્ર કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ પછી શનિવારે બપોરે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વારંવારના ભૂકંપના કારણે નેપાળના લોકો ભયમાં જીવવા મજબૂર બન્યા છે.

159 આંચકા અનુભવાયા - નેપાળમાં શુક્રવારે રાત્રે 11.47 કલાકે આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 157 લોકોના મોત થયા છે, જ્યારે 375 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ વિનાશ પશ્ચિમના જિલ્લા જાજરકોટ અને પશ્ચિમ રુકુમમાં થયો છે. અહેવાલ છે કે, શુક્રવારે રાત્રે ભૂકંપના પ્રારંભિક આંચકા બાદ પશ્ચિમ નેપાળમાં 159 આંચકા અનુભવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી હજારો મકાનો ધરાશાયી થયા છે. સેંકડો લોકો ગુમ છે, સેનાએ તેમની શોધખોળ હાથ ધરી છે.
કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની જહેમત ચાલુ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નારાયણ પ્રસાદ ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે, જાજરકોટ અને પશ્ચિમ રુકુમના પશ્ચિમ જિલ્લાઓને સૌથી વધુ નુકસાન થયું છે. એકલા જાજરકોટમાં 105 અને રુકુમમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે નેપાળમાં 2015 પછીનો સૌથી ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. 2015માં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રેડક્રોસના જણાવ્યા અનુસાર, તે સમયે ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય જિલ્લાઓમાં 8 લાખથી વધુ મકાનોને નુકસાન થયું હતું.
ભારતે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો - ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે એક હેલ્પલાઇન નંબર +977-9851316807 શરૂ કર્યો છે. નેપાળમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે. ઓક્ટોબરમાં ત્રણ ભૂકંપ આવ્યા છે, જેમાં નેપાળમાં 22 ઓક્ટોબર, 16 ઓક્ટોબર અને 3 ઓક્ટોબરના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
