નવાઝ શરીફની દિલની તમન્ના શા માટે અધૂરી રહી?
નવી દિલ્હી, 28 મે : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પરત પહોંચી ગયા છે. ભારતની મુલાકાત લીધી હોવા છતાં તેમના દિલની તમન્ના અધૂરી જ રહી છે. નવાઝ શરીફે પોતાના દિલની તમન્ના કોને કહી હતી અને ભારત મુલાકાત દરમિયાન તે શા માટે પૂરી ના થઇ શકી તે આવો જાણીએ...

શરીફે કોને કહી જણાવી પોતાની ઇચ્છા?
દિલ્હીમાં એક પ્રાઇવેટ પાર્ટી દરમિયાન શબાના આઝમી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે કલા સંસ્કૃતિ અને ફિલ્મો અંગે વાતચીત થઇ હતી.

શરીફ અને આઝમી વચ્ચે શું વાતચીત થઇ?
શબાના આઝમી અને શરીફ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન શરીફે જણાવ્યું કે તેઓ શબાનાના પિતા કૈફી આઝમી અને પતિ જાવેદ અખ્તરના પ્રશંસક છે. તેઓ અમિતાભ અને લતા મંગેશકરના પણ ચાહક છે.

અમિતાભ અને લતા દીદીના દિવાના
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને ગાયિકા લતા મંગેશકરના મોટા પ્રશંસક છે. પોતાની ભારત મુલાકાત દરમિયાન તેઓ આ બંને કલાકારોને મળવાની તમન્ના સાથે આવ્યા હતા.

તો ઇચ્છા પૂરી થઇ હોત
ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરીફને આશા હતી કે અહીં તેમને અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને મળવાની તક મળશે. જો કે કોઇ કારણથી બંને ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી શરીફની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.

ફરી ક્યારેક મુલાકાત થશે
શરીફ ખાલી હાથ નહીં પણ ખાલી ઇચ્છા સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમને આશા છે કે ભવિષ્યમાં ભારત સાથેના સંબંધો સુધરતા તેમની આશા પૂરી થશે.
શરીફે કોને કહી જણાવી પોતાની ઇચ્છા?
દિલ્હીમાં એક પ્રાઇવેટ પાર્ટી દરમિયાન શબાના આઝમી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે કલા સંસ્કૃતિ અને ફિલ્મો અંગે વાતચીત થઇ હતી.
શરીફ અને આઝમી વચ્ચે શું વાતચીત થઇ?
શબાના આઝમી અને શરીફ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન શરીફે જણાવ્યું કે તેઓ શબાનાના પિતા કૈફી આઝમી અને પતિ જાવેદ અખ્તરના પ્રશંસક છે. તેઓ અમિતાભ અને લતા મંગેશકરના પણ ચાહક છે.
અમિતાભ અને લતા દીદીના દિવાના
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને ગાયિકા લતા મંગેશકરના મોટા પ્રશંસક છે. પોતાની ભારત મુલાકાત દરમિયાન તેઓ આ બંને કલાકારોને મળવાની તમન્ના સાથે આવ્યા હતા.
તો ઇચ્છા પૂરી થઇ હોત
ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરીફને આશા હતી કે અહીં તેમને અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને મળવાની તક મળશે. જો કે કોઇ કારણથી બંને ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી શરીફની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.
ફરી ક્યારેક મુલાકાત થશે
શરીફ ખાલી હાથ નહીં પણ ખાલી ઇચ્છા સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમને આશા છે કે ભવિષ્યમાં ભારત સાથેના સંબંધો સુધરતા તેમની આશા પૂરી થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
