મેહુલ ચોક્સીએ પોતાના અપહરણનો કર્યો દાવો, PMના નિર્દેશ પર એંટીગા અને બારબુડા પોલિસે શરૂ કરી તપાસ
મેહુલ ચોક્સીના વકીલોને ડોમિનિકામાં મેહુલના અપહરણનો દાવો કર્યો છે. જાણો વિગત.
નવી દિલ્લીઃ ભારતમાંથી લગભગ 13 હજાર કરોડ રૂપિયાનુ બેંક કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલ હીરા વેપારી મેહુલ ચોક્સીને પાછા લાવવાની બધી કોશિશો એક વાર ફરીથી નિષ્ફળ થતી દેખાઈ રહી છે. વાસ્તવમાં પોલિસ ફોર્સે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીના વકીલોએ ડોમિનિકામાં મેહુલના અપહરણની વાત કહી છે. એંટીગા અને બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એક સ્થાનિક મીડિયા આઉટલેટને જણાવ્યુ કે ચોક્સીના વકીલોએ કથિત રીતે અપહરણની ફરિયાદમાં કમિશ્નરના પણ શામેલ હોવાની વાત કહી છે. ગેસ્ટન બ્રાઉનનુ કહેવુ છે કે જો અપહરણનો દાવો સાચો હોય તો કે ખરેખર ગંભીર બાબત છે.

કેસની તપાસ પોલિસ કરી રહી છે - ગેસ્ટન બ્રાઉન
પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે કે પોલિસ આ ફરિયાદને ઘણી ગંભીરતાથી લઈ રહી છે. ગેસ્ટન બ્રાઉને પોતાના નિવેદનમાં કહ્યુ છે, 'ચોક્સીએ એંટીગા અને બારબુડાની રૉયલ પોલિસ ફોર્સમાં ફરિયાદ નોંધાવી છે કે તેનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. તેણે પોતાના વકીલો દ્વારા એ દાવો કર્યો છે કે તેને એંટીગાથી કિડનેપ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો માટે પોલિસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સમગ્ર કેસની પૂરી તપાસ કરવામાં આવી રહી છે.'
વિપક્ષી નેતાઓએ મેહુલના દાવાને ગણાવ્યો ખોટો
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટને અપહરણના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યુ છે કે મેહુલ ચોક્સીને 23 મેની રાતે 10 વાગ્યા આસપાસ અર્નેના યૉટ કૉલિઓપમાં ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. વળી, મેહુલના પરિવારનુ કહેવુ છે કે તે 23 મેની સાંજે 5 વાગ્યા સુધી એંટીગામાં હતા જ્યાંથી 120 મીલ દૂર ચારથી પાંચ કલાકમાં જવુ મુશ્કેલ છે કારણકે આટલુ અંતર કાપતા લગભગ 12-13 કલાક લાગે છે.
પોલિસ કસ્ટડીમાં છે મેહુલ ચોક્સી
તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી 23 મેના રોજ એંટીગા અને બારબુડાથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો જ્યાં તે 2018થી એક નાગરિક તરીકે રહી રહ્યો હતો. હાલમાં મેહુલ ડોમિનિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાના આરોપમાં પોલિસની કસ્ટડીમાં છે જ્યાંથી ભારત સરકાર તેને પ્રત્યાર્પિત કરીને પાછો લાવવાનો પ્રયત્ન કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
