CAA પર બોલ્યા સદગુરુઃ એ દેશમાં કોણ રોકાણ કરશે જ્યાં બસો સળગી રહી હોય?
ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે.
ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ)ના વાર્ષિક શિખર સંમેલમાં પહોંચેલા સદગુરુએ કહ્યુ કે છાત્રો સીએએ અને એનઆરસી સામે નહિ પરંતુ પોતાના સ્થાનિક મુદ્દાઓ સામે પ્રદર્શન કરી રહ્યા છે.

સદગુરુએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યુ, 'લોકોએ સીએએ સામે વિરોધ પ્રદર્શન ન કરવુ જોઈએ કારણકે એ ભારતીય નાગરિકો પાસેથી તેમની નાગરિકતા નથી છીનવતુ. સીએએ માત્ર એ લઘુમતીઓને એક ઓળખ આપી રહ્યુ છે જે વિભાજન દરમિયાન ત્યાં રહી ગયા હતા.' સદગુરુએ કહ્યુ કે આ કાયદો નવા લોકોને દેશમાં નથી લાવી રહ્યો અને આમાં બધા ધર્મોને શામેલ ન કરવા જોઈએ કારણકે આનાથી ભારતનો સંશાધનો પ્રભાવિત થશે.
તેમણે આગળ કહ્યુ, 'શું સીએએ કોઈના વિરોધમાં છે? આપણે એ દેશમાં લઘુમતીઓના ઉત્પીડનની વાત કરી રહ્યા છે. આને એ વાત સાથે કોઈ લેવાદેવા નથી કે બંધારણ ભારતના લોકો પર કેવી રીતે લાગૂ થાય છે. આ એ લોકો માટે છે જે વિભાજન દરમિયાન ત્યાં રહી ગયા. આના દ્વારા માત્ર એ લોકોને નાગરિકતા આપવાની કોશિશ કરવામાં આવી રહી છે જે 10-15 વર્ષથી અહીં (ભારત)માં રહી રહ્યા છે, એ પણ કોઈ ઓળખ વિના.' આ ધાર્મિક ઉત્પીડનના શિકાર લઘુમતીઓ માટે છે. તેમણે કોઈ એક ધર્મને માનનારા દેશોમાં ઉત્પીડનનો સામનો કરવો પડે છે. તે (ઉત્પીડનના શિકાર લઘુમતી) પહેલેથી અહીં છે. કોઈ 2014 બાદ ન આવી શકે પરંતુ લોકો ઈચ્છે છે કે બધા આવી જાય. બતાવો, શું અમારા દેશમાં જનસંખ્યા ઓછી છે?
સદગુરુએ કહ્યુ કે આ કાયદો હિંદુ અને મુસ્લિમ માટેનો નથી. સરકાર તરફથી સંચારની ઉણપ છે અને લોકોને લાગી રહ્યુ છે કે કાયદો તેમની વિરુદ્ધમાં છે. તેમણે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર કહ્યુ, 'એ દેશમાં કોણ રોકાણ કરશે જ્યાં બસો સળગાવવામાં આવી રહી હોય? બસો સરકાર સાથે સંબંધિત નથી, તે આપણી સાથે સંબંધિત છે તેમને કેમ સળગાવીએ?' સદગુરુએ કહ્યુ કે, 'છાત્ર સ્થાનિક મુદ્દા જેવા કે ફીમાં વધારો અને પોલિસની બર્બરતા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દાઓને રાષ્ટ્રીય મુદ્દા ન બનાવો. મીડિયાએ સત્ય બતાવવુ જોઈએ નહિ કે કોન્ટ્રોવર્સી કરવી જોઈએ. તેમને આશ્વાસન આપો કે તેમની નાગરિકતા પર કોઈ જોખમ નથી.' તમને જણાવી દઈએ કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સદગુરુનો સીએએવાળો વીડિયો શેર કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
