મસૂદ અઝહરે કહ્યું- બાલાકોટ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું, બધા આતંકીઓ સુરક્ષિત
બલાકોટ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું, બધા આતંકી જીવીત!
ઈસ્લામાબાદઃ જૈશ-એ-મોહમ્મદના મુખ્યા મૌલાના મસૂદ અઝહરે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ જૈશ એ અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ કરેલ હવાઈ હુમલામાં કાંઈ નુકસાન નથી થયું. જેની સાથે જ તેમણે કહ્યું કે તેના બધા આતંકવાદીઓ ઠીક છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે બધા જ મેડિકલી ફિટ છે, જે સાબિત કરવા માટે મસૂદ અઝહરે પીએમ મોદીને તેમની સાથે મુકાબલો કરવાની પડકાર ફેંકી. ઈંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઈમ્સ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

બાલાકોટમાં કોઈ નુકસાન નથી થયું
મસૂદ અઝહરે પોતાની કૉલમમાં લખ્યું કે જૈશને બાલાકોટમાં કાંઈ નુકસાન નથી થયું અને તેના સ્વાસ્થ્યને લઈ કેટલાય પ્રકારની જૂઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેણે કોલમમાં લખ્યું, એવું નથી અને બધા જ જીવતા છે. મસૂદ અઝહરે પોતાની આ કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં પીએમ મોદીને પડકાર ફેંકી કે તેમની સાથે શૂટિંગ કે તીરંદાજીનો મુકાબલો કરીને મોદી જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે.

કાશ્મીરમાં લડાઈ યથાવત
આ કોલમમાં અઝહરે પોતાના તરફથી સંગઠનની સરખામણી એ સમય સાથે કરી જે મુસલમાનો માટે પૈગમ્બર મોહમ્મદના જમાનામાં હતો. અઝહરે કહ્યું કે આદિલ અહમદ ડાર જૈશ કાશ્મીરિયોએ જે આગ ભડકાવ છે તે કોઈપણ કાળે નહિ ઠરે. આદિલ અહમદ ડાર જ જૈશનો આત્મઘાતી હુમલો હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. 14 ફેબ્રુઆરીએ આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

રાજ્યભરમાં ફેલાશે આઝાદીની લડાઈ
અઝહરે જમ્મુ અને કાશ્મીરમાં ચાલુ આતંકી ગતિવિધિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેવી રીતે સમય વધતો જશે આઝાદીની લડાઈ રાજ્યભરમાં ફેલાશે કેમ કે આવી રીતે જ આંદોલન આગળ વધે છે. અઝહરે લખ્યું કે રાજ્યની સ્થિતિ ભારે નાજુક છે.

17 વર્ષથી હોસ્પિટલે નથી ગયો
પોતાના સ્વાસ્થ્ય વિશે મસૂદ અઝહરે લખ્યું કે તે આના પર વાત કરવા નથી માગતો પરંતુ માત્ર એક પ્રપોગેન્ડા છે. અઝહરે લખ્યું કે હું પૂરી રીતે ફિટ છું. મારી કિડની અને લવર પણ ઠીક કામ કરી રહ્યાં છે. અઝહર મુજબ તે છેલ્લા 17 વર્ષથી હોસ્પિટલમાં નથી ગયો અને કેટલાય વર્ષથી ડોક્ટર પાસે પણ નથી ગયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
