ઈસ્લામિક સ્ટેટે લીધી પાકિસ્તાનમાં મસ્જિદ વિસ્ફોટની જવાબદારી, હુમલામા અત્યાર સુધી 57ના મોત, 200 ઘાયલ
ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે.
ઈસ્લામાબાદઃ ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે. જેમાં 50થી વધુ લોકોના જીવ જતા રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મીડિયા રિપોર્ટના હવાલાથી આ સમાચાર આપ્યા છે. શુક્રવારે(4 માર્ચ) પેશાવરમાં મસ્જિદ પાસે બે આતંકવાદીઓએ પોલિસ અધિકારીઓ પર ગોળીઓ ચલાવી દીધી હતી ત્યારબાદ એમાંથી એકે બિલ્ડિંગમાં ઘૂસીને ધમાકો કર્યો. આ હુમલામાં અત્યાર સુધી 57 લોકોના મોત થઈ ગયા છે અને 200થી વધુ ઘાયલ થઈ ગયા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની નિંદા કરીને કહ્યુ કે, 'પૂજાા ઘર પનાહગાહ હોવા જોઈએ, બૉમ્બ ધમાકાના લક્ષ્ય નહિ.' સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુટારેસે ટ્વિટ કર્યુ, 'હું પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાઝ દરમિયા થયેલ ભીષણ હુમલાની નિંદા કરુ છુ. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પ્રત્યે મારી સંવેદના અને પાકિસ્તાનના લોકો સાથે મારી એકજૂટતા છે.'
પાકિસ્તાનના માનવાધિકાર આયોગ(એચઆરસીપી)એ શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની આકરી નિંદા કરી, જેનો ઉદ્દેશ્ય શિયા ઉપાસકોને નિશાન બનાવવાનો હતો. એચઆરસીપીએ એક નિવેદનમાં કહ્યુ, 'હુમલો સ્પષ્ટ રીતે શિયા ઉપાસકોને લક્ષિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો અને એ સાંપ્રદાયિક સંગઠનોની ઓળખ છે જેમણે હાલના વર્ષોમાં પરસ્પર લડવાની અનુમતિ આપવામાં આવી છે.'
રેડિયો પાકિસ્તાને શુક્રવારે જણાવ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેશાવર વિસ્ફોટની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો જેમાં 56 લોકોના મોત થઈ ગયા અને 200 અન્ય ઘાયલ થયા. લેડી રીડિંગ હૉસ્પિટલ(એલઆરએચ)ના પ્રવકતા મોહમ્મદ આસિમે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી અને કહ્યુ કે અમુક ઘાયલોની હાલત ગંભીર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
