કાશ્મીર મુદ્દે ભારતે ટ્રમ્પને કહ્યુ, ‘તમારી જરૂર નથી, માત્ર પાકિસ્તાન સાથે થશે ચર્ચા'
ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મધ્યસ્થતા પર કરવામાં આવેલી રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી છે.
ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મધ્યસ્થતા પર કરવામાં આવેલી રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આસિયાન દેશોના સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી સમકક્ષ માઈક પોપેયો સાથે મુલાકાતમાં આ વાત એકદમ સ્પષ્ટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એક વાર ફરીથી કાશ્મીર પર મધ્યસ્થતાની રજૂઆત કરી. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં રિપોર્ટર્સ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ કે જો ભારત ઈચ્છે તો તે આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરી શકે છે પરંતુ બધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિર્ભર છે.
|
માત્ર પાકિસ્તાન સાથે થશે વાતચીત
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કરીને ભારતના વલણ વિશે જણાવ્યુ. તેમણે લખ્યુ, ‘મે મારા સમકક્ષને આજે સવારે સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે કાશ્મીર પર કોઈ પણ પ્રકારની વાતચીતની જરૂર હશે તો તે માત્ર પાકિસ્તાન સાથે જ થશે અને માત્ર દ્વિપક્ષીય વાતચીત જ હશે.'

ટ્રમ્પે ફરીથી કર્યો કાશ્મીરનો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન ગયા સપ્તાહે ઈમરાન ખાન સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને આપ્યુ જ્યારે તેમણે ઈમરાન સામે કાશ્મીર પર મદદની રજૂઆત કરી હતી. ટ્રમ્પ તરફથી કરવામાં આવેલી મદદની રજૂઆતને ભારતે ધરમૂળથી ફગાવી દીધુ હતુ. સાથે જ એ સ્પષ્ટ કરી દીધુ કે કાશ્મીર મુદ્દે કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થતા બિલકુલ સ્વીકાર્ય નથી.

પીએમ મોદીના મદદ માંગવાનો દાવો
ટ્રમ્પે 22 જુલાઈના રોજ જ્યારે પાક પીએમ ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી તો તેમણે કાશ્મીર પર નિવેદન આપ્યુ હતુ. ટ્રમ્પે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને આ મુદ્દાને ઉકેલવા માટે મધ્યસ્થતા કરવાની વાત કહી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ દેશભરમાં હોબાળો મચી ગયો. લોકસભા અને રાજ્યસભામાં પીએમ મોદી તરફથી નિવેદન જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ટ્રમ્પના નિવેદન બાદ વિદેશ મંત્રાલય તરફથી અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ મંત્રાલયએ એ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો કે પીએમ મોદી તરફથી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે કોઈ પણ અનુરોધ અમેરિકી રાષ્ટ્રપતિને કરવામાં આવ્યો હતો. તે સમયે પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બધા મુદ્દાઓને માત્ર દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
