India-pakistan conflict : ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ તો કયા શહેરો તબાહ થશે? જાણો શું કહે છે નિષ્ણાતો?
India-pakistan conflict : હાલ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં પાકિસ્તાનના રેલમંત્રી હનીફ અબ્બાસે ભારત સામે ગંભીર ધમકી ઉચ્ચારી છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને શાહીન જેવી અણુ મિસાઈલો માત્ર શણગાર માટે નથી બનાવી પરંતુ જરૂર પડ્યે ભારત સામે વાપરવા માટે તૈયાર રાખી છે.

આ ધમકીઓએ લોકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુ યુદ્ધ થાય તો શું થશે? કોને વધુ નુકસાન થશે? કયા શહેરો નિશાન બની શકે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘણા દાયકા જૂનો છે. ખાસ કરીને કાશ્મીર મુદ્દો, સરહદી વિવાદો અને આતંકવાદ બંને દેશો વચ્ચે સતત મતભેદોનું કારણ રહ્યા છે. તાજેતરના હુમલા પછી દેશભરમાં રોષનો માહોલ છે અને યુદ્ધની શક્યતાઓ અંગે ચર્ચાઓ વધી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે જો અણુ હુમલો થાય, તો પાકિસ્તાન ભારતના મોટા અને વ્યૂહાત્મક શહેરોને નિશાન બનાવી શકે છે. મુખ્યત્વે ત્રણ શહેરો ખાસ જોખમમાં હોઈ શકે છે. આ શહેરોમાં મુંબઈસ દિલ્હી અને બેંગ્લુરુનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય નાના પરંતુ મહત્વપૂર્ણ શહેરો પણ જોખમ હેઠળ આવી શકે છે.
જો પાકિસ્તાન તરફથી અણુ હુમલો થાય તો ભારત પાસે પણ ઝડપથી અને ભારે જવાબ આપવાનો સક્રિય પ્લાન છે. ભારત પાકિસ્તાનના અગત્યના શહેરો પર પ્રતિકાર રૂપે હુમલો કરી શકે છે, જેમાં ભારત ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, ફૈસલાબાદ, પેશાવર, મુલતાન, ગુજરાંવાલા, રાવલપિંડિ, હૈદરાબાદ અને ક્વેટાને નિશાન બનાવી શકે છે. આ શહેરો પર અણુ હુમલાથી પાકિસ્તાનને ગંભીર નુકસાન થઈ શકે છે.
હિરોશિમા અને નાગાસાકીના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે અણુ હુમલાના તરત પરિણામે લાખો લોકો જીવ ગુમાવી શકે છે. ધૂમ્રપટ અને રેડિયેશનના કારણે વષો સુધી સ્થાયી નુકસાન થાય છે, માણસો બીમારીઓથી પીડાય છે, ખોરાક અને પાણીનો તંગી ઉભી થાય છે અને સમાજમાં અરાજકતા ફેલાઈ શકે છે.
વિજ્ઞાનીઓના મતે, અણુ યુદ્ધ માત્ર શરૂઆતમાં જ નહીં પરંતુ લાંબા ગાળે પણ સમગ્ર પ્રાકૃતિક તંત્રને અસર કરે છે. વાતાવરણમાં ભારે બદલાવ આવે છે અને વિશ્વભરમાં હંગામો સર્જાય છે.
યુદ્ધ ક્યારેય કોઈ સમાધાન લાવી શકતું નથી, ખાસ કરીને અણુ યુદ્ધ બન્ને દેશો માટે વિનાશક સાબિત થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન બંને માટે શાંતિપૂર્ણ વાતચીત અને મજબૂત વ્યૂહરચના જ એકમાત્ર સારો વિકલ્પ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
