UNમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આપ્યો જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનુ મોંઘુ સાબિત થઈ ગયુ.
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનુ મોંઘુ સાબિત થઈ ગયુ અને ભારતે આના જવાબમાં આતકવાદનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. ભારતે કહ્યુ કે પાકિસ્તાન 'આતંકવાદનો ગઢ' છે. સાથે જ ભારતે પાકિસ્તાનને આતંકીઓને 'શરણ આપનાર' પણ ગણાવ્યુ. ભારત તરફથી કહેવામાં આવ્યુ કે આ એક એવો દેશ છે જ્યાં આતંક ફેલાવનારાને પ્રશિક્ષણ અને શહીદનો પણ દરજ્જો આપવામાં આવે છે.

લઘુમતીઓ સાથે અત્યાચાર
આ સાથે જ ભારતે કહ્યુ કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે અત્યાચાર સતત વધી રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યુ કે હું જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાનના પ્રતિનિધિએ જે નિવેદન આપ્યુ છે તેનો જવાબ આપુ છુ. તેમણે પાકિસ્તાન વિશે કહ્યુ કે તે આ રીતના મંચનો ઉપયોગ ખોટા આરોપ લગાવવા માટે કરતા રહે છે. પાકિસ્તાની પ્રતિનિધિનો આ વિચાર ભારતના આંતરિક મામલામાં કયારેય ખતમ ન થનાર મનઘડંત વિચાર છે.

જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ
તેમણે જમ્મુ કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ ગણાવીને કહ્યુ કે ભારત કુરેશીના આ દૂર્ભાગ્યપૂર્ણ નિવેદનને ફગાવે છે. તેમણે એ પણ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રનો જે એજન્ડા પૂરો નથી થયો તે આતંકવાદ સામે લડવાનો છે.

આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર
મૈત્રીએ કહ્યુ કે આખી દુનિયામાં પાકિસ્તાન જ એવો દેશ છે જ્યાં આતંકવાદના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. જે ખુદ એ વાત સ્વીકારી ચૂક્યુ છે કે તે આતંકીઓને પોતાને ત્યાં શરણ જ નહિ પરંતુ પ્રશિક્ષણ પણ આપે છે અને તેમને શહીદનો દરજ્જો પણ આપે છે. તે લઘુમતીઓ પર અત્યાચાર કરે છે. આ સાથે જ તેમણે કહ્યુ કે આ રીતના મંચનો ખોટો ઉપયોગ કરીને ધ્યાન ભટકાવવાના બદલે આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
