મેડીકલ પ્રશિક્ષણ માટે ગર્ભવતી મહિલાઓને આપી વિયાગ્રા, 11 નવજાતના મોત
નેધરલેન્ડ્ઝમાં ગર્ભવતી મહિલાઓને વિયાગ્રા આપવાથી 11 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે.
નેધરલેન્ડ્ઝમાં ગર્ભવતી મહિલાઓને વિયાગ્રા આપવાથી 11 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે. ગર્ભવતી મહિલાઓને આ વિયાગ્રા મેડીકલ પ્રશિક્ષણ હેઠળ આપવામાં આવી હતી. જે ગર્ભવતી મહિલાઓને ગર્ભનાળ નબળી હતી, તેમના ગર્ભસ્થ શિશુઓના વિકાસ માટે તેમને વિયાગ્રા આપવામાં આવી હતી. નવજાત બાળકોના મોત બાદ આ પ્રશિક્ષણને તરત જ રોકી દેવામાં આવ્યુ છે.

મેડીકલ પ્રશિક્ષણ હેઠળ અપાઈ હતી વિયાગ્રા
નેધરલેન્ડ્ઝની 10 હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓને પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતી યૌનવર્ધક દવા સિલ્ડેનાફિલ (વિયાગ્રા) આપવામાં આવી. જેનાથી 11 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે. એમ્સ્ટરડેમ યુનિવર્સિટી ઓફ મેડીકલ સેન્ટર દ્વારા કરાવવામાં આવી રહેલ આ પ્રશિક્ષણમાં 93 ગર્ભવતી મહિલાઓને વિયાગ્રા આપવામાં આવી હતી. આ બધી મહિલાઓની ગર્ભનાળ નબળી હોવાથી ગર્ભમાં બાળકોનો વિકાસ અટકી ગયો હતો. વિકાસ વધારવા માટે મહિલાઓને પ્રશિક્ષણમ હેઠળ વિયાગ્રા આપવામાં આવી હતી પરંતુ જન્મ બાદ બાળકોના ફેફસામાં બિમારી વિકસીત થઈ ગઈ.

17 નવજાતને થઈ ફેફસાની બિમારી, 11 ના મોત
17 નવજાત શિશુઓને ફેફસામાં બિમારી થઈ ગઈ જેમાં 11 ના મોત નીપજ્યા છે. લગભગ 10-15 મહિલાઓએ હજુ બાળકોને જન્મ આપ્યા નથી. કહેવામાં આવી રહ્યુ છે કે વિયાગ્રાના કારણે બ્લડપ્રેશર વધી ગયુ જેનાથી બાળકો સુધી ઘણો ઓક્સજન પહોંચી ગયો. એમ્સ્ટરડેમ યુએમસીના પ્રવકતાએ કહ્યુ કે ટ્રાયલ યોગ્ય રીતે કરવામાં આવી છે પરંતુ તેમછતાં એક તપાસ નીમવામાં આવશે.

2020 સુધી ચાલવાની હતુ પ્રશિક્ષણ પરંતુ ત્વરિત થયુ બંધ
ગર્ભવતી મહિલાઓ પર આ પ્રશિક્ષણ વર્ષ 2015 માં શરૂ થયુ હતુ અને 2020 સુધી ચાલવાનું હતુ. આ પ્રશિક્ષણમાં કુલ 350 મહિલાઓને ભાગ લેવાનો હતો પરંતુ બાળકોના મોત બાદ તેને રોકી દેવામાં આવ્યુ છે. પ્રશિક્ષણની તપાસ કરી રહેલી સ્વતંત્ર સમિતિએ જોયુ કે વિયાગ્રા લેનારી ગર્ભવતી મહિલાઓથી જન્મેલા બાળકોમાં જરૂરતથી વધુ ફેફસાની સમસ્યા વિકસિત થઈ રહી છે. એટલા માટે આ પ્રશિક્ષણ ગયા સપ્તાહે જ રોકી દેવામાં આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
