મોદીના રાજમાં રમખાણ પીડિતોને નહીં મળે ન્યાયઃ જાકિયા

મંગળવારે કેપીટલ હિલમાં અમેરિકન સાંસદે ગુજરાતના મુખ્યમંત્રીને વીઝા નહીં આપવાની નીતિ પર અડગ રહેવા અનુરોધ કર્યો હતો. જાકિયાએ કહ્યું,' જો મોદી પ્રધાનમંત્રી બની જશે તો હજારો રમખાણ પીડિતો સહિત મારી ન્યાયની આશા ખત્મ થઇ જશે. મારી આશા અને પ્રાર્થના છે કે તેવું ક્યારેય પણ ના થાય.' જાકિયાના નિવેદનને તેમના જમાઇ નાજીદ હુસૈને વાંચતા કહ્યું કે તમારા(અમેરિકા) દ્વારા મોદીને વીઝા નહીં નીતિ મારી આશાઓને જીવીત રાખવા માટે ઘણી મહત્વની છે.
ગુજરાત રમખાણ પીડિતો તરફથી બોલતા જાકિયા અને તમના પુત્રી નિશરિન હુસૈને અમેરિકન સાંસદો અને ઓબામા પ્રશાસનને મોદીને અમેરિકાને વીઝા નહીં આપવા અનુરોધ કર્યો હતો.
જાકિયાએ કહ્યું, ' મારું હૃદય કહે છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારા પતિની હત્યા માટે જવાબાદર છે. હું જાણું છું કે જ્યારે મારા પતિએ મદદ માંગી તો તેમણે કહ્યું હતું કે જાફરી તમે તો ઘણા નામી છો, જો બચાવી શકતા હોવ તો બચાવો પોતાની જાતને.' જાકિયાએ આરોપ લગાવ્યો કે ' હું એ પણ જાણું છું કે ભારતીય ન્યાય પ્રણાલી ધીમી થઇ શકે છે પરંતુ તે મજબૂત છે, જો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હોત કે પછી તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયનું ચક્ર સ્વતંત્ર રીતે વધું ઝડપથી ચાલ્યું હોત.
તેમણે કહ્યું કે તેમણે પદ છોડવાના બદલે સત્તા પર પોતાની પકડ વધારે મજબૂત કરી લીધી અને પીડિતોને ન્યાય નહીં આપવાના સંભવતઃ વિઘ્નો ઉભા કર્યા. હિંસક ભીડ દ્વારા પિતાની હત્યા કરવામાં આવી એ પળને યાદ કરતા અમેરિકન નાગરિક નિશરિને કહ્યું કે હું મોદીને વીઝા પર પ્રતિબંધ જારી રાખવાની સાંસદોની પહેલની પ્રશંસા કરું છું.
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વીઝા પર લંબા સમયથી જારી અમેરિકન નીતિ ગુજરાતમાં ન્યાયના સંઘર્ષ માટે મહત્વપૂર્ણ છે. ' કોલીશન અગેન્સ્ટ જીનોસાઇડ' તરફથી બોલતા હૈદર ખાને કહ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય માયાબેન કોડનાની અને અમિત શાહ પર લગાવાયેલા આરોપ મોદી સરકાર સામે લાગેલા આરોપો સમાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
