પાક.માં રાજકીય ઉથલપાથલ, 8ના મોત-300 ઘાયલ

સવાર થતાજ પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે એકવાર ફરી ઝડપ શરૂ થઇ ગઇ. ઇમરાન ખાને પ્રદર્શનકારીઓને વડાપ્રધાનના રહેઠાણને ઘેરવા માટે આહ્વાન કર્યું, અને જણાવ્યું કે જ્યા સુધી નવાઝ શરીફ રાજીનામુ ના આપે ત્યા સુધી અહીં જ ડટ્યા રહો. સંસંદ ભવનની દીવાર તોડીને પ્રદર્શનકારીઓ પરિસરમાં ઘુસી ગયા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે હિંસક ઝડપમાં અત્યાર સુધી 8 લોકોના મોતના સમાચાર છે. લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડવાની પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી 300થી પણ વધારે પ્રદર્શનકારીયો ઘાયલ થઇ ગયા છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>My video message. I want all democracy-loving Pakistanis to come to Azadi Chowk & fight forces of fascism. <a href="https://t.co/kI1KtTuets">https://t.co/kI1KtTuets</a></p>— Imran Khan (@ImranKhanPTI) <a href="https://twitter.com/ImranKhanPTI/statuses/505841607502233600">August 30, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>પ્રદર્શનકારીઓની માર્ચ શરૂ કરતા પહેલા ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેમને રોકવા માટે જવાનોને ખડેપગે કરવામાં આવશે. ખાન અને કાદરી બંને શરીફના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ખાન ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. ખાને જણાવ્યું કે 'હું વડાપ્રધાન રહેઠાણ સુધી માર્ચનું નેતૃત્વ કરીશ. મારા તમામ સમર્થક મારી સાથે હશે.' તેમણે મહિલાઓ અને બાળકોને જણાવ્યું કે જ્યાં સુધી તેઓ ના કહે ત્યાં સુધી તેઓ રોકાઇ રહે, તેમની સાથે ના આવે.
આની વચ્ચે પ્રદર્શનકારી લાહોર અને કરાચીમાં પણ ફેલાઇ ગયા છે. સરકારે હાલાત પર કાબૂ મેળવવા માટે સેનાને બોલાવી છે. લગભગ 100 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનકારી સતત 'આઝાદી' અને 'નવાઝ ઝાઓ'ના નારા લગાવી રહ્યા છે. આની વચ્ચે ઝિયો ટીવીના ઓફિસ પર પણ પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>The bullet shell and tear gas cell just fired on Azadi Bus. <a href="http://t.co/e1zeu4DuN1">pic.twitter.com/e1zeu4DuN1</a></p>— Imran Khan (@ImranKhanPTI) <a href="https://twitter.com/ImranKhanPTI/statuses/505800897562411009">August 30, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>તણાવ વધવાની સાથે જ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લાહોર રવાના થઇ ગયા. મોડી રાત્રે સરકાર તરફથી કરવામાં આવેલ જાહેરાતમાં શરીફના રાજીનામાની વાત સ્પષ્ટપણે રદ કરી દીધી. પ્રદર્શનકારી શરીફ અને તેમની સરકારની વિરુદ્ધ નારેબાજી કરતા નેશનલ એસેમ્બલીથી વડાપ્રધાન રહેઠાણ તરફ આગળ વધવા લાગ્યા હતા. આનાથી થોડીવાર પહેલા જ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાન અને પાકિસ્તાન આવામી તહરીકના નેતા કાદરીએ પ્રદર્શન સ્થળ બદલવાની જાહેરાત કરી હતી.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Imran Khan calls on supporters to move towards PM House once again. Calls for revenge.</p>— Talat Aslam (@titojourno) <a href="https://twitter.com/titojourno/statuses/505883740573143041">August 31, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
