પાકિસ્તાનમાં કોરોનાનો કહેર, બલુચિસ્તાનમાં સેના બોલાવવી પડી!
પાકિસ્તાનમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યારસુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 645 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે.
પાકિસ્તાનમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યારસુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 645 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. નિષ્ણાતોનું માનિયે તો 2 કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. પાકિસ્તાનમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો સિંધ પ્રાંત કોરોના વાયરસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. સિંધમાં સૌથી વધુ 292 કેસ નોંધાયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પરિસ્થિતિ સંભાળવા સેના બોલાવવી પડી છે.

સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ
સિંધની ખરાબ પરિસ્થિતિને જોતા માનવામાં આવે છે કે ટૂંક સમયમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં પણ કોરોનાના 105 કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે આ તો એક શરૂઆત છે, જો આ જ રીતે પાકિસ્તાનમાં કોરોના ફેલાયો તો જૂન સુધીમાં 2 કરોડ લોકોને પાકિસ્તાનમાં કોરોનાનો ચેપ લાગી શકે છે.

પંજાબમાં જીવન જરૂરીયાતની વસ્તુઓની તંગી
કટોકટીને ધ્યાને રાખીને બલુચિસ્તાનની સરકારે પણ સેનાને તૈનાત કરવાની માંગ કરી છે. સરકારને ડર છે કે જો આમ જ કોરોના ફેલાતો રહેશે તો પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ શકે છે. બલુચિસ્તાનમાં કોરોનાથી 104 લોકો સંક્રમિત છે. બીજી તરફ આખા પાકિસ્તાનમાં ટેસ્ટિંગ કિટની અછત છે. કોરોનાના બીજા ક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત પંજાબમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને બચાવ ઉપકરણોની મોટી અછત છે. પંજાબ પાકિસ્તાનનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. પંજાબમાં કોરોનાથી 152 લોકો સંક્રમિત છે.

વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ
ચીન સિવાય સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ હોવાને કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ દરમિયાન ચીને જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનને વેન્ટિલેટર અને માસ્ક આપશે. દેશને આ દુર્ઘટનાથી બચાવવા માટે ઇમરાનખાન સરકારે ઘણી ટ્રેનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઈએના પ્રવક્તાએ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી છે. "આ નિર્ણય 21 માર્ચે સાંજે 8 વાગ્યાથી લાગુ કરાયો છે. 28 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે."

50 ટ્રેનોના પૈડા થંભી જશે
પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદે કહ્યું કે દેશમાં 34 ટ્રેનોને રમજાનના 15 માં દિવસ સુધી બંધ રખાશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને કારણે લોકો ટ્રેનોમાં ઓછી મુસાફરી કરી રહ્યા છે. ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આવતીકાલથી 12 ટ્રેન બંધ રહેશે. જેમાં ખુશાલ, શાહ લતીફ અને રાવી ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની 34 ટ્રનો 24 માર્ચ મધ્યરાત્રિથી બંધ રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
