CIAએ ચેતવ્યા, હતાશાથી ઘેરાયેલા પુતિન કરી શકે છે ન્યૂક્લિયર બૉમ્બનો ઉપયોગ
અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે.
વૉશિંગ્ટનઃ યુક્રેન સામે યુદ્ધને 50 દિવસથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી આ યુદ્ધમાં રશિયાને નિર્ણાયક રીતે કોઈ સફળતા મળી શકી નથી ત્યારબાદ અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે. સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે ગુરુવારે કહ્યુ કે પુતિન વ્યૂહાત્મક કે ઓછી તીવ્રતાવાળા પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. પોતાના ભાષણમાં બર્ન્સે કહ્યુ કે જે રીતે પુતિનની બેચેની વધી રહી છે અને યુક્રેનમાં તેમને હાલત થઈ છે તે બાદ આપણે કોઈએ પણ પુતિનના પડકાર અને બેચેનીને હળવાશમાં ન લેવી જોઈએ, તે ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ક્રેમલિને પહેલા જ રશિયન ન્યૂક્લિયર ફોર્સને હાઈ એલર્ટ પર રહેવા માટે કહ્યુ છે. પરંતુ બર્ન્સનુ કહેવુ છે કે ધરાતલ પર આના અનુક ઠોસ પુરાવા નથી મળ્યા કે રશિયન સેના ન્યૂક્લિયર એલર્ટ પર છે. અમે ઘણા ચિંતિત છીએ, હું જાણુ છુ કે બાઈડેન ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે પરંતુ પરમાણુ હુમલો આ કોશિશને ધક્કો પહોંચાડી શકે છે. રશિયા પાસે ઘણા વ્યૂહાત્મક પરમાણુ હથિયાર છે કે અમેરિકાના પરમાણુ બૉમ્બથી ઓછા શક્તિશાળી છે જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા-નાગાસાકીમાં નાખવામાં આવ્યા હતા.
નોંધનીય વાત છે કે રશિયાની સેનાનો સિદ્ધાંત છે કે સ્થિતિને ઓછી તણાવપૂર્ણ કરવા માટે તણાવ વધારવામાં આવે, જેમાં નિમ્ન ક્ષમતાના પરમાણુ હુમલા થઈ શકે છે. જો સ્થિતિ વધુ બગડે તો રશિયા આ વિકલ્પ પસંદ કરી શકે છે. બર્ન્સે કહ્યુ કે મે રશિયામાં અમેરિકાના રાજદૂતની પણ ભૂમિકા નિભાવી છે. બર્ન્સે કહ્યુ કે રોજ, પુતિન પ્રદર્શિત કરે છે ઘટતી શક્તિઓ ઓછામાં ઓછી એટલી જ વિઘટનાકારી હોઈ શકે છે જેટલી કે વધતી શક્તિઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
