ચીને ભારતીય પત્રકારોને દેશ છોડવા આપ્યો આદેશ, જાણો શું છે કારણ?
ચીને બેઇજિંગમાં હાજર એકમાત્ર ભારતીય પત્રકારને પણ આ મહિને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. ભારતના આ એકલા પત્રકાર ચીન છોડ્યા પછી, બેઇજિંગમાં ભારતીય મીડિયાનું કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ચીને ત્યાં હાજર છેલ્લા ભારતીય પત્રકારને પણ આ મહિને દેશ છોડવા માટે કહ્યું છે. રિપોર્ટમાં મામલાની જાણકારી ધરાવતા એક વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીની સત્તાવાળાઓએ પીટીઆઈના રિપોર્ટરને દેશ છોડવા માટે કહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં ચાર ભારતીય પત્રકાર ચીનમાં કામ કરી રહ્યા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સનો એક રિપોર્ટર ગયા અઠવાડિયે જ ત્યાંથી નીકળી ગયો છે. જ્યારે આ વર્ષે એપ્રિલમાં ચીને બે ભારતીય પત્રકારોના વિઝા રિન્યૂ કરવાનો ઇનકાર કર્યો હતો. આમાંથી એક પત્રકાર પ્રસાર ભારતીનો છે અને બીજો ધ હિન્દુ અખબારનો છે.
આ અહેવાલ અનુસાર, ચીનના વિદેશ મંત્રાલય અને ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ગયા મહિને, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ભારતમાં માત્ર એક ચીની પત્રકાર બચ્યો છે, જે હજુ પણ વિઝા રિન્યુઅલની રાહ જોઈ રહ્યો છે.
અગાઉ, ભારતે ચીનની સરકારી મીડિયા શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના બે પત્રકારોની વિઝા નવીકરણની અરજીઓ ફગાવી દીધી હતી. તે જ મહિનામાં ભારતે કહ્યું હતું કે ચીનના પત્રકારો ભારતમાં કોઈપણ સમસ્યા વિના કામ કરી રહ્યા છે. પરંતુ, ચીનમાં રહેલા ભારતીય પત્રકારો સાથે આવું નથી. જો કે આ મામલે બંને દેશો સંપર્કમાં હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, આ વિઝા વિવાદ થોડા મહિના પહેલા શરૂ થયો હતો. મામલાની ગંભીરતાને જોતા એક ભારતીય અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભારતીય પત્રકારોએ રિપોર્ટિંગમાં મદદ કરવા માટે કેટલાક સહાયકોને ચીનમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વિવાદ શરૂ થયો હતો.
ચીને એક સમયે માત્ર ત્રણ લોકોની નિમણૂક કરવાની મર્યાદા નક્કી કરી હતી અને તેઓ પણ ચીની સત્તાવાળાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલા લોકોમાંથી ભરતી કરવાના હતા. જ્યારે, ભારતમાં ભરતીની સંખ્યા સંબંધિત કોઈ નિશ્ચિત મર્યાદા નથી.
ચીન અને ભારત વચ્ચે પત્રકારો સાથે જોડાયેલો આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે ભારત આ વર્ષે G20 અને ચીન શાંઘાઈ કોઓપરેશન ડાયલોગની મેજબાની કરવા જઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
