ઇરાનમાં પ્રદર્શનકારીઓની મોટી જીત, 'હિજાબ વિરોધી' નૈતિક પોલીસ બંધ કરાઇ
ઈરાનમાં આખરે વિરોધીઓની જીત થઈ છે. અઢી મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ હિજાબ વિરોધી આંદોલનની જીત થતી જોવા મળી રહી છે. ઈરાન સરકારે મહસા અમીનીની હત્યામાં સામેલ મોરાલિટી પોલીસના યુનિટને વિખેરી નાખ્યું છે. સ્થાનિક મીડિયાએ આ માહિત
ઈરાનમાં આખરે વિરોધીઓની જીત થઈ છે. અઢી મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ હિજાબ વિરોધી આંદોલનની જીત થતી જોવા મળી રહી છે. ઈરાન સરકારે મહસા અમીનીની હત્યામાં સામેલ મોરાલિટી પોલીસના યુનિટને વિખેરી નાખ્યું છે. સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. ISNA ન્યૂઝ એજન્સીએ એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોન્ટાજેરીને ટાંકીને કહ્યું કે મોરલ પોલીસને ન્યાયતંત્ર સાથે કોઈ લેવાદેવા નથી. તે હવે બંધ કરવામાં આવી છે.

મોરાલિટી પોલીસની 2006માં થઇ હતી સ્થાપના
મોરાલિટી પોલીસની સ્થાપના 2006માં કટ્ટર પ્રમુખ મહમૂદ અહમદીનેજાદ દ્વારા કરવામાં આવી હતી. ઔપચારિક રીતે તે ગશ્ત-એ-ઇર્શાદ તરીકે ઓળખાય છે. 'હિજાબની સંસ્કૃતિ ફેલાવવા' માટે નૈતિકતા પોલીસે મહિલાઓના માથા ઢાંકેલા હોવાની ખાતરી કરી હતી. સપ્ટેમ્બરમાં, અમીનીને હિજાબ ન પહેરવા બદલ મોરાલિટી પોલીસ દ્વારા એટલો ત્રાસ આપવામાં આવ્યો કે તેણીનું મૃત્યુ થયું. ત્યારથી દેશમાં હિજાબ વિરોધી દેખાવો થઈ રહ્યા હતા. તમામ પ્રયાસો બાદ પણ સરકાર આ પ્રદર્શનોને રોકી શકી નથી.

ચાર દશકાઓથી ઇરાનમાં લાગુ છે હિજાબ કાયદો
તમને જણાવી દઈએ કે ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિના ચાર વર્ષ બાદ એપ્રિલ 1983થી મહિલાઓ માટે હિજાબ પહેરવું જરૂરી છે. ત્યારથી, તે છેલ્લા ચાર દાયકાથી દેશમાં એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ઈરાન એક રૂઢિચુસ્ત દેશ છે. કાયદામાં સુધારા પણ ક્યાંક રૂઢિચુસ્તો પર આધાર રાખે છે. રૂઢિચુસ્ત વર્ગ હિજાબને ફરજિયાત બનાવવાની તરફેણમાં છે, જ્યારે બીજી તરફ પ્રગતિશીલ જૂથો છે જે તેને રૂઢિચુસ્ત કહે છે અને તેને વ્યક્તિગત પસંદગી પર છોડવા માંગે છે.

14 હજારથી વધુ લોકો કરાયા ગિરફ્તાર
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક જનરલે કહ્યું છે કે મહસા અમીનીના મૃત્યુ પછી 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, કેટલાક માનવાધિકાર સંગઠનો દાવો કરે છે કે તે આનાથી વધુ છે. ઈરાનની ટોચની સુરક્ષા સંસ્થા, સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ, મૃત્યુઆંક 200 થી વધુ મૂકે છે, જ્યારે ઓસ્લો સ્થિત બિન-સરકારી સંસ્થા ઈરાન હ્યુમન રાઈટ્સ અનુસાર, અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 448 લોકો માર્યા ગયા છે. ગયા અઠવાડિયે, યુએન રાઇટ્સ ચીફે કહ્યું હતું કે ઇરાનમાં વિરોધ પ્રદર્શનમાં બાળકો અને મહિલાઓ સહિત 14,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
