અપ્રવાસી ભારતીયોને અમેરિકામાં મળી ખુશખબરી, બાઈડેન પ્રશાસને વર્ક પરમિટ પર આપી મોટી ભેટ
અમેરિકામાં રહેતા હજારો અપ્રવાસી ભારતીયોના કામકાજને લઈને બાઈડેન પ્રશાસને ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વૉશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા હજારો અપ્રવાસી ભારતીયોના કામકાજને લઈને બાઈડેન પ્રશાસને ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અપ્રવાસીઓને અમુક શ્રેણીઓમાં વર્ક પરમિટની સીમાને ઑટોમેટિક રીતે વધારવાની ઘોષણા કરી છે જેમાં ગ્રીન કાર્ડ ઈચ્છતા અને એચ-1બી વિઝાધારકોના જીવનસાથી પણ શામેલ છે, જેમને રોજગાર પ્રાધિકરણ કાર્ડ(ઈએડી) મળે છે.

હજારો અપ્રવાસી ભારતીયોને લાભ
બાઈડેન પ્રશાસને વર્ક પરમિટને ઑટોમેટિક રીતે દોઢ વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે મંગળવારે આની ઘોષણા કરી દીધી છે. જેનાથી હજારો પ્રવાસીઓને લાભ મળવાની સંભાવના છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે કહ્યુ છે કે વર્તમાન ઈએડી પર જે એક્સપાયરી ડેટ લખવામાં આવી છે, તે 180 દિવસ માટે છે પરંતુ તેને હવે ઑટોમેટિક રીતે 540 દિવસ સુધી વધારી દેવામાં આવશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે(યુએસસીઆઈએસ)ના ડાયરેક્ટર ઉર એમ જદૌએ કહ્યુ કે, 'જેમ યુએસસીઆઈએસ(યુએસ સિટિઝનશિપ એંડ ઈમિગ્રેશન સર્વિસિઝ) પેન્ડીંગ ઈએડી કેસલોઓડ્સને સંબોધિત કરવા માટે કામ કરે છે, હવે એજન્સીએ નિર્ધારિત કર્યુ છે કે રોજગાર પ્રાધિકરણ માટે હાલમાં જે વર્ક પરમિટ 180 દિવસની મળે છે, તે અપૂરતી છે.'

અમેરિકી ગૃહ વિભાગે શું કહ્યુ
અપ્રવાસી ભારતીયો માટે વર્ક પરમિટ વધારવાને લઈને અમેરિકી ગૃહ વિભાગે કહ્યુ કે, બાઈડેન પ્રશાસનના આ નિર્ણયથી બિન-નાગરિક હવે વર્ક પરમિટ માટે ઑટોમેટિક ઉપયુક્ત થઈ જશે, જેમને રોજગારની જરુર છે, જેથી તે પોતાના પરિવારની મહત્વપૂર્ણ સહાયતા કરી શકે અને અમેરિકી કામગારોને આગળ કોઈ મુશ્કેલી ન થાય. હોમલેન્ડ વિભાગે પોતાની ઘોષણામાં કહ્યુ છે, યુએસસીઆઈએસ અનુસાર, પેન્ડીંગ ઈએડી નવીનીકરણ આવેદનવાળા બિન-નાગરિક, જેમની 180 દિવસની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે અને જેમની ઈએડી સમાપ્ત થઈ ગઈ છે, તેમને 4 મે, 2022થી શરુ થતા અને 540 દિવસ સુધી ચાલતા રોજગાર પ્રાધિકરણ અને ઈએડી માન્યતાવૂ એક વધુ અવધિ આપવામાં આવશે. જેનાથી એ ફરીથી રોજગાર કરી શકે છે.

ભારતીય કામગારોને પણ ફાયદો
ભારતીય અમેરિકી સમુદાયના નેતા અજય જૈન ભૂટોરિયાએ કહ્યુ કે બાઈડેન પ્રશાસનના આ નિર્ણયથી 87 હજાર અપ્રવાસીઓને ત્વરિત ફાયદો થશે અને તેમને તત્કાલ મદદ મળી શકશે, જેમની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે અથવા આગલા 30 દિવસની અંદર ખતમ થવાની છે. બાઈડેન પ્રશાસનના આ નિર્ણયનો હેતુ કુલ મળીને 4 લાખ 20 હજાર અપ્રવાસીઓની વર્ક પરમિટ વધારવાનો છે જેથી તેમને કામ ગુમાવવાની ક્ષમતાથી બચાવી શકાય. તેમણે કહ્યુ કે આ નીતિ દેશની કાનૂની અપ્રવાસ એજન્સીમાં 15 લાખ વર્ક પરમિટ આવેદનોના અભૂતપૂર્વ બેકલૉગને સંબોધિત કરવા માટે છે જેનાથી હજારો લોકો કાનૂની રીતે કામ કરવામાં અસમર્થ છે અને શ્રમની કમીને વધારી રહ્યા છે. ભૂટોરિયાએ નીતિમાં બદલાવનુ સ્વાગત કર્યુ છે કારણકે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની ભાર કમીનો સામનો કરી રહી છે અને આ નિર્ણય બાદ તે પોતાના કામ મુજબ કર્મચારીઓની ભરતી કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
