પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને ઘરો પર હુમલો!
બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં એક કટ્ટરપંથી ટોળાઓ 50 થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ટોળાએ ચાર મંદિરોમાં પણ તોડફોડ કરી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે હુમલા વધ્યા છે.
બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં એક કટ્ટરપંથી ટોળાઓ 50 થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ટોળાએ ચાર મંદિરોમાં પણ તોડફોડ કરી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે હુમલા વધ્યા છે. તેનું એક કારણ દેશમાં હિફાજત-એ-ઇસ્લામ જેવી સંસ્થાઓની વધતી જતી લોકપ્રિયતા છે. માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઢાંકાની મુલાકાત દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

બંગાળી અખબાર સમકલ અનુસાર, શુક્રવારે સાંજે એક સ્થાનિક મસ્જિદના મૌલવીએ જિલ્લાના સિયાલી ગામમાં હિન્દુ ધાર્મિક સરઘસનો વિરોધ કર્યો હતો. જેને પગલે કટ્ટરવાદીઓનું ટોળું ગુસ્સે ભરાયું અને શનિવારે સાંજે ગામના હિન્દુ મકાનો પર હુમલો કર્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોના હવાલાથી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુસ્સે થયેલા ટોળામાં કથિત રીતે નજીકના ગામોના મુસ્લિમોનો સમાવેશ થાય છે. હુમલા દરમિયાન હુમલાખોરોએ કુહાડી અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
આ દરમિયાન વિરોધ કરતા ઘણા હિન્દુઓ ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ તંગ છે અને પ્રશાસ મામલાની તપાસ કરી રહ્યું છે. હિન્દુ મંદિરો, મકાનો અને દુકાનોમાં તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પ્રથમ વખત આ વિસ્તારમાં કોઈ કોમી હિંસા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5.45 વાગ્યે 100 જેટલા હુમલાખોરો ગામમાં પહોંચ્યા હતા અને હથિયારો સાથે ચાર મંદિરોને પણ તોડ્યા હતા. ગામના હિન્દુ સમુદાયની છ દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે 2011 નાં આંકડા મુજબ બાંગ્લાદેશની 149 મિલિયન વસ્તીમાંથી આશરે 8.5 ટકા હિંદુ ધર્મનું પાલન કરે છે. ખુલના જિલ્લામાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે. અહીં 16 ટકા લોકો હિન્દુ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશ ફેલાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે આ હુમલો કરનારાઓ સામે તપાસની માંગ કરી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
