જમ્મુ કાશ્મીરમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો થશે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધઃ રિપોર્ટ
જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે.
જમ્મુ કાશ્મીરમાં હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણી હદ સુધી વધી જશે અને બંને દેશ એક વાર ફરીથી યુદ્ધના મેદાનમાં હશે. જર્મનીના મ્યૂનિખમાં થોડા દિવસો અગાઉ થયેલી કૉન્ફરન્સ બાદ આવેલા એન્યુઅલ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ વખતે ભારત પહેલાની તુલનામાં ઘણી વધુ મજબૂત પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે. આ રિપોર્ટને રવિવારે ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.

આતંકી સંગઠન બનાવી રહ્યા છે ભારતને નિશાન
રિપોર્ટમાં કાશ્મીર મુદ્દાને આ વર્ષના 10 વિવાદોમાં શામેલ કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર પર ચાલી રહેલ ભારત અને પાકિસ્તાનમાં જે તણાવ છે તે સંકટ વધારી શકે છે. આમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન, આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ તરીકે ઉપયોગ કરે છે અને પાક સ્થિત આતંકી સંગઠન ભારતને નિશાન બનાવી રહ્યા છે.

ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓ જવાની તૈયારી કરી રહી છે અને હવે આ દેશમાં આતંકીઓને રોકવાની કોશિશો કરવામાં આવશે. કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાનને પણ ટૉપ 10 સંઘર્ષોની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોથી કાશ્મીર આંતરરાષ્ટ્રીય રડારથી બહાર હતુ પરંતુ ગયા વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાતનીએ આને ફરીથી સંઘર્ષોની લિસ્ટમાં જગ્યા અપાવી દીધી છે.

કોઈ પણ ક્ષણે થઈ શકે છે પરમાણુ યુદ્ધ
રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે, ‘નવી દિલ્લી પાસે એ અંગેનો કોઈ રોડમેપ નથી કે આગળ શું થશે. સૌથી મોટો ખતરો છે કે હવે કોઈ પણ આતંકી હુમલો તણાવને ઘણો વધારી દેશે. જો કોઈ નવુ સંકટ આવ્યુ તો પછી વિદેશી તાકાતોએ આ વિવાદિત સીમા પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવવી પડશે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નૉર્થ કોરિયા, ભારત-પાકિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષ કોઈ પણ સમયે પરમાણુ તણાવ તરફ આગળ વધી શકે છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ટરનેશનલ બૉર્ડર પર તણાવ વધી ગયો હતો. ત્યારબાદ પાંચ ઓગસ્ટ 2019ના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી તો પણ સીમા પર બંને દેશો વચ્ચે સંકટની સ્થિતિ બની ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
