એન્ટીગુઆના પીએમે કહ્યુ, મેહુલ ચોક્સી કૌભાંડી છે, ભારત પૂછપરછ માટે સ્વતંત્ર
પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી માટે એંટીગુઆ અને બાર્બૂડાના પ્રધાનમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે.
પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી માટે એંટીગુઆ અને બાર્બૂડાના પ્રધાનમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. ચોક્સીને કૌભાંડી ગણાવીને તેમણે કહ્યુ કે તેની અપીલ ખતમ થતા જ તેને નિર્વાસિત કરી દેવામાં આવશે. પીએમ ગેસ્ટન બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોક્સી એક કૌભાંડી છે અને ભારતીય એજન્સીઓ અમારા દેશમાં આવીને તેની પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીએ એંટીગુઆના સિટિઝનશિપ બાય ઈનવેસ્ટમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એંટીગુઆની નાગરિકતા લઈ લીધી હતી.

બ્રાઉને ડીડી ન્યૂઝને કહ્યુ કે, 'તેમને ખબર નહોતી કે ચોક્સી ધોખેબાજ (ક્રૂક) છે નહિતર તેને નાગરિકતા ના આપવામાં આવત. તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવશે કારણકે તે એંટિગુઆનુ સમ્માન નથી વધારી રહ્યો.' તેમણે કહ્યુ કે, 'અમારા દેશમાં એક સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે અને આ કેસ અદાલત સામે છે. એટલા માટે આ કેસમાં સરકાર પાસે કોઈ અધિકાર નથી. જેમ કે તમે જાણો છો કે ગુનેગારો માટે પણ એક પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. તેણે (ચોક્સી)એ ઘણી વાર અપીલ કરી અને જ્યાં સુધી તેની બધી અપીલ પર સુનાવણી ખતમ ન થઈ જાય અમે કંઈ કરી શકીએ નહિ. પરંતુ આ વખતે તેની બધી અપીલ ખતમ થઈ ગઈ તો તેને ભારત પ્રત્યાર્પિત જરૂર કરવામાં આવશે.'
#WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv
— ANI (@ANI) 25 September 2019
મેહુલ ચોક્સીએ લગાવ્યો લગભગ 14 હજાર કરોડનો ચૂનો
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને તેના ભાણિયા નીરવ મોદીએ નકલી લેટર ઑફ અંડસ્ટેન્ડિંગ્ઝ (એઓયુ) દ્વારા પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બાર્ડી હાઉસ શાખાને લગભગ 14 રજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. આ ગોટાળાનો ભાંડાફોડ થવા પર બંને ભારત છોડી વિદેશ ભાગી ગયા. ચોક્સીને 15 જાન્યુઆરી, 2018ના રોજ એંટીગા અને બારબૂડાની નાગરિકતા મળી ગઈ. તેણે આ વર્ષે 17 જૂનના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરીને કહ્યુ કે અત્યારે એંટીગામાં રહે છે અને પીએનબી ગોટાળાની તપાસમાં સહયોગ કરવા ઈચ્છે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
