બાંગ્લાદેશ PMની અપીલ છતાં પણ ચાંદપુરના હિંદુ મંદિર પર હુમલો, પોલિસ અને ભીડની ઝડપમાં 5ના મોત
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. છતાં હુમલા થઈ રહ્યા છે.
ઢાકાઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે જ હિંદુઓ પર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. સાથે જ તેમણે ગૃહમંત્રીના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ શેખ હસીનાના આ નિર્દેશ બાદ જ બાંગ્લાદેશના ચાંદપુરમાં એક હિંદુ મંદિર પર ભીડે હુમલો કરી દીધો. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ અખરા મંદિરમાં ભીડે હુમલો કરી દીધો. આ દરમિયાન પોલિસે હુમલાખોરો વચ્ચે ઝડપની ઘટનાઓ પણ જોવા મળી. આ હિંસામાં 5 લોકોના માર્યા ગયાના સમાચાર છે.

દુર્ગા પૂજા સમારંભના દિવસે પણ અહીં થઈ હતી હિંસા
હાજીગંજ પોલિસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ હારુનૂર રાશિદે જણાવ્યુ છે કે હિંસામાં ઘાયલ એક વ્યક્તિને આપણે સારા ઈલાજ માટે કોમિલા મેડિકલ હૉસ્પિટલમાંથી ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ(ડીએમસએચ)માં શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેનુ મોત થઈ ગયુ. ઘણા મીડિયા રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે ચાંદપુરના હાજીગંજ ઉપજિલ્લામાં દુર્ગા પૂજા સમારંભ દરમિયાન સાંપ્રદાયિક હિંસામાં અમુક લોકો માર્યા ગયા હતા જ્યારે પત્રકાર, પોલિસ અને સામાન્ય લોકો સહિત 60 અન્ય ઘાયલ થઈ ગયા હતા.
અત્યાર સુધી બાંગ્લાદેશના આ વિસ્તારોમાં થઈ છે હિંસા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર નાનુઆર દિઘી તટ પર સ્થિત દુર્ગા પૂજા સ્થળે કથિત રીતે કુરાનના અપમાન બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધી બાંગ્લાદેશના ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપેનવાબગંજ અને મૌલવીબાજારના ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી ચૂકી છે.
શેખ હસીનાએ શું કહ્યુ હતુ?
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં થયેલી આ ઘટનાઓને લઈને પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ગૃહમંત્રી અસદુજ્જમાં ખાનને નિર્દેશ આપીને કહ્યુ કે વિશેષ ધર્મ પર હુમલો કરવા અને હિંસાને ભડકાવનારા સામે તત્કાલ કાર્યવાહી શરૂ કરવામાં આવે. સાથે જ સામાન્ય લોકોને પણ એ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તથ્યોની તપાસ વિના કોઈ પણ વસ્તુ પર ભરોસો ન કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
