સુરત: રક્ષાબંધન પહેલા જ ચાર ભાઇઓની એકની એક બહેનનું મોત, સાસરીયા પર આક્ષેપ
સુરતના સિંગણપોરમાં વિરપાર્ક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય સિરતાબેન જયકુમાર પટેલ શુક્રવારે બપોરે પોતાના ઘરે સૂતા હતાં, બાદમાં સાંજ સુધી ઊઠ્યા ન હતાં. તેથી સાસરિયાવાળા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્ય
સુરતના સિંગણપોરમાં વિરપાર્ક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય સિરતાબેન જયકુમાર પટેલ શુક્રવારે બપોરે પોતાના ઘરે સૂતા હતાં, બાદમાં સાંજ સુધી ઊઠ્યા ન હતાં. તેથી સાસરિયાવાળા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પિયર પક્ષના લોકો નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમણે સાસરિયા પર દહેજમાં પૈસા માંગવાનો આક્ષેપ કર્યો હતો.
Recommended Video


સાસરિયા પર દહેજ માટે મારપીટનો આક્ષેપ સરિતાના પરિવારે કર્યો છે. સાસરિયાના ત્રાસના કારણે સરિતાએ આત્મહત્યા કરી છે, તેથી સરિતાનું નવી સિવિલ હોસ્પિટલમાં પેનલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે, સિવિલ હોસ્પિટલના તબીબોએ જરૂરી વીસેરા સેમ્પલ લીધા છે. વીરેસા રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે. સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું કે મૂળ યુપીની જૌનપુરની વતની સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલા વતનમાં જયકુમાર સાથે થયા હતાં. પતિ સંચાખાતામાં કામ કરે છે. સરિતાના ભાઇઓના આક્ષેપને કારણે સાસરિયા પર શારીરિક અને માનસિક ત્રાસ અને દુષ્પ્રરણાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છેકે સરિતા ચાર ભાઇઓની એકની એક બહેન હતી. રક્ષાબંધનના તહેવાર પહેલા બહેનનું મોત થતા ચારેય ભાઇઓમાં દુ:ખની લાગણી હતી, અઢી વર્ષ આગાઉ જ પરિવારોની રાજી ખુશીથી લગ્ન કરવામાં આવ્યા હતા. શરૂઆત લગ્નજીવન સારૂ હતું પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી સરિતા વાંરવાર પિયર પક્ષને ફરિયાદ કરવા લાગી હતી કે સાસરી પક્ષમાં તકલીફ પડી રહી છે અને સરિતા પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. એવું ખુદ સરિતાના પરિવારના સભ્યોનું કહેવું છે. નણંદ સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલાં જ વતન યુપીમાં થયા હતા. લગ્ન બાદ સરિતા સુરત પોતાના સાસરિયામાં આવી હતી. ચાર દિવસ પહેલા સરિતાનો ફોન આવ્યો હતો. મને અહીંયાંથી લઈ જાઓ મારી નણંદ, સાસુ અને પતિ મને માનસિક હેરાનગતિ કરે છે. ભાઈને કહો મને લઈ જાય ત્યારબાદ રામ પોતાની બહેન સરિતાને લઈ આવ્યા હતા અને સમજાવીને પરત મૂકી આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
