પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી : નાયરા એનર્જી

વાડીનાર સ્થિત ઓઈલ રિફાઈનરી નાયરા એનર્જી લિમિટેડ જે જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને તેના સૌરાષ્ટ્રમાં 1,500 જેટલા પેટ્રોલ પંપ માટે ઈંધણ સપ્લાય કરે છે.

રાજકોટ : પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની સોશિયલ મીડિયા પર અફવાઓ અને પેટ્રોલ પંપ માલિકો દ્વારા ઈંધણની અછત અંગેની ચિંતાઓને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પેટ્રોલ પંપો પર લોકો ઉમટી પડ્યા છે.

petrol

જોકે, વાડીનાર સ્થિત ઓઈલ રિફાઈનરી નાયરા એનર્જી લિમિટેડ જે જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને તેના સૌરાષ્ટ્રમાં 1,500 જેટલા પેટ્રોલ પંપ માટે ઈંધણ સપ્લાય કરે છે, તેણે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, તેમના તરફથી પેટ્રોલ અને ડીઝલની કોઈ તંગી નથી. કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ OMC સાથેના કરાર મુજબ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ચાલુ રાખશે.

કંપનીએ TOI દ્વારા ઇમેઇલ ક્વેરીનો જવાબ આપતા જણાવ્યું હતું કે, નયારા એનર્જી અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે નાયરા રિટેલ આઉટલેટ્સ તેમજ અમારા PSU ભાગીદારો (OMCs) બંનેને જરૂરિયાત/શેડ્યૂલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંનેનો સપ્લાય કરતા આવ્યા છીએ અને ચાલુ રાખીશું. નયારા એનર્જી લિમિટેડને રશિયન ઓઇલ ફર્મનું સમર્થન છે અને તે વાડીનાર, જામનગરમાં પ્રતિ વર્ષ 20 મિલિયન ટનની ક્ષમતા સાથે રિફાઇનરી ચલાવે છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA) ના સભ્યોએ બુધવારના રોજ રાજ્યના નાગરિક પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી, જેમાં સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ડીલરોએ આક્ષેપ કર્યો હતો કે, નયારા એનર્જી લિમિટેડ મંગળવારથી તેમની ટ્રકોને બળતણ એકત્ર કરવા દેતી નથી. જાહેર ક્ષેત્રની OMCs સાથેના કરાર મુજબ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેમના 1,500 ડીલરો નયારા એનર્જી લિમિટેડની વાડીનાર રિફાઈનરીમાંથી ઈંધણ લે છે.

FGPDAના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, ચાલુ યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે અને લોકો ભાવમાં તીવ્ર વધારો થવાના ડરથી પેટ્રોલ અને ડીઝલ રિફિલ માટે કતારમાં ઉભા છે. પરિણામે ઈંધણની ખરીદીમાં ગભરાટ છે અને સ્ટોક ઘટી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઓઈલ કંપનીના ડેપો પર અમારા ટેન્કરો ભરવામાં આવતા નથી, જેના કારણે ડીલરોને ઘણી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકોને અસર થઈ રહી છે.

સૌરાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પેટ્રોલ પંપ ઓછામાં ઓછો ત્રણ દિવસનો સ્ટોક રાખે છે, પરંતુ બુધવારથી લોકો તેમના વાહનોને ફરીથી ભરવા માટે કતારમાં ઉભા છે. કારણ કે ભાવ વધારાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઇંધણની અછતના સમાચારોએ ગ્રાહકોની ચિંતામાં વધારો કર્યો છે અને લોકો વાહનોને કાબૂમાં રાખી રહ્યા છે. એક અંદાજ મુજબ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પેટ્રોલ પંપો દરરોજ આશરે 10 લાખ લીટર પેટ્રોલ અને છ લાખ લીટર ડીઝલનું વેચાણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X