ગુડ ન્યૂઝ : કેશોદ એરપોર્ટ આ તારીખથી થશે કાર્યરત
જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું ઉદ્ઘાટન 16 એપ્રીલના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ : જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું ઉદ્ઘાટન 16 એપ્રીલના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શરૂઆતમાં મુંબઈ-કેશોદ-મુંબઈ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.

કેશોદ એરપોર્ટને ભારત સરકારની એરપોર્ટ યોજનાના પુનરુત્થાન હેઠળ રૂપિયા 25 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. મુંબઈ અને કેશોદ વચ્ચે 72 સીટર એરક્રાફ્ટ ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટી રનવેનું રિકાર્પેટીંગ કામ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં વધુ એક ફ્લાઈટ ઉમેરવાનું આયોજન કરી રહી છે.
સાસણ-ગીર, એશિયાટીક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન કેશોદથી 50 કિમી દૂર છે. ફ્લાઇટ કનેક્ટિવિટી સાસણ તેમજ ગીર નેશનલ પાર્કમાં પ્રવાસનને વેગ આપશે, તેવી અપેક્ષા છે. હાલમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને રાજકોટ એરપોર્ટ પર ઉતરવું પડે છે અને ત્યારબાદ સાસણ જવા માટે 3-4 કલાકનો રોડ પ્રવાસ કરવો પડે છે.
કેશોદથી એરપોર્ટ માત્ર 55 કિમી દૂર હોવાથી સોમનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો વધવાની અપેક્ષા છે. આ અગાઉ કેશોન એરપોર્ટનું સંચાલન 12 માર્ચના રોજ શરૂ થવાનું હતું, પરંતુ પછીથી તે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
રાજે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે બુધવારના રોજ ઉદ્ઘાટન સમારોહની તૈયારી માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. "એર કનેક્ટિવિટી વિદેશ અને દેશના અન્ય ભાગોમાંથી આવતા પ્રવાસીઓને સિંહ જોવા અથવા ગિરનાર અને સોમનાથ મંદિરની મુલાકાત લેવા માટે મદદ કરશે. હાલમાં ગીર સોમનાથ જિલ્લાના સૌથી નજીકના બે એરપોર્ટ રાજકોટ અને પોરબંદર છે, જે મુખ્ય પ્રવાસન સ્થળોથી 100 કિમીથી વધુ દૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
