10 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?
ભારતમાં રવિવારના રોજ છેલ્લા 24 કલાકમાં 1,054 નવા કોવિડ19 કેસ અને 29 મૃત્યુ નોંધાયા છે. શનિવારના રોજ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
10 April Covid Update : ભારતમાં રવિવારના રોજ છેલ્લા 24 કલાકમાં 1,054 નવા કોવિડ19 કેસ અને 29 મૃત્યુ નોંધાયા છે. શનિવારના રોજ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કોવિડ19 સાવચેતી રસીના ડોઝ (કોવિડ પ્રિકોશન ડોઝ) 10 એપ્રીલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર તમામ પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દિલ્હી, હરિયાણા, ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો
જ્યારે કોવિડ19 કેસ રાષ્ટ્રીય સ્તરે સતત ઘટી રહ્યા છે, વર્તમાન સંખ્યા બે વર્ષની નીચી સપાટીએ છે, દિલ્હી અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં ગણતરી ફરી વધીરહી છે.
અત્યાર સુધી, સંખ્યામાં વધારો નજીવો છે અને તે નિર્દેશક હોય શકે નહીં. આગામી દિવસોમાં વધુ વધારો થશે, પરંતુ તે સતત ઘટી રહેલા કેસોના વલણનીવિરુદ્ધ છે, ઓછામાં ઓછા દેશના કેટલાક રાજ્યોમાં, જે જાન્યુઆરીના અંતમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ત્યારથી બે મહિનાથી વધુ સમયથી ચાલતી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં સાત દિવસની સરેરાશ દૈનિક કેસમાં વધારો થયો છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અનેબંગાળ સહિતના રાજ્યોમાં દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 34 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.આસાથે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં 24 કેસ, અમદાવાદમાં 8 અને વડોદરામાં 2 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,12,969 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 114 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ, ડિસ્ચાર્જ કે મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2078 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 444 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.












Click it and Unblock the Notifications
