Violence in JNU : ABVP-ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ, અનેક ઘાયલ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ અહીં વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ છે. JNUમાં મોડી રાત્રે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Violence in JNU : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ અહીં વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ છે. JNUમાં મોડી રાત્રે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વતી એવું કહેવામાં આવ્યું છે કે, અથડામણ અલગ-અલગ વિચારધારાના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી. હિંદુવાદી વિચારધારાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા તેમના ઘણા સાથીદારો પર હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. ડાબેરી વિચારધારાના વિદ્યાર્થીઓની ઈજાઓ સાથેની તસવીરો પણ સામે આવી છે. તેમનો આરોપ છે કે, ABVPના સભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો.

બેઠકનો વિરોધ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો
યુનિવર્સિટીમાંથી મળેલી માહિતી અનુસાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારની મોડી રાત્રે AISA અને SFI જેવા કેટલાય ડાબેરી વિદ્યાર્થીઓનીABVP અને અન્ય હિન્દુત્વના વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો.
ત્યાં વિવિધ રાજકીય વિચારધારાના વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણમાં કેટલાક ડઝન વિદ્યાર્થીઓઘાયલ થયા હતા.
ABVPના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમના કેટલાક સભ્યો JNUમાં વિદ્યાર્થી પ્રવૃત્તિ રૂમની અંદર બેઠક કરી રહ્યા હતા. ત્યારે જ કેટલાકડાબેરી વિદ્યાર્થીઓ તેમની બેઠકમાં વિક્ષેપ પાડવા માટે ત્યાં પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓએ તેમની બેઠકનો વિરોધ કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ABVP એ કહ્યું કે,ડાબેરી વિદ્યાર્થીઓએ તેમના સભ્યો પર હુમલો કર્યા બાદ મહિલા સભ્યો સહિત તેના ડઝનેક સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા હતા.
વિદ્યાર્થી સંગઠને કહ્યું કે, જે સભ્યોનેગંભીર ઈજાઓ થઈ છે, તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

ABVPના "ગુંડા" હતા, જેમણે ડાબેરી વિદ્યાર્થીઓ પર હુમલો શરૂ કર્યો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ વધુમાં જણાવ્યું હતું કે, 14 નવેમ્બરના રોજ મોડી રાત્રે થયેલી હિંસામાં ડાબેરી વિદ્યાર્થીઓએ તેમના જૂથની મહિલાઓઅને શારીરિક રીતે અપંગ સભ્યો પર પણ હુમલો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ABVPની મહિલા સભ્ય શ્રીદેવીને ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે શારીરિકરીતે અક્ષમ સભ્ય અંકિતને પણ ડાબેરી વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. જે દરમિયાન આઈશી ઘોષ, જે JNU સ્ટુડન્ટ્સ યુનિયન (JNUએસયુ)ના પ્રમુખ અનેયુનિવર્સિટીની એસએફઆઈ વિંગના સભ્ય છે.
તેમણે ટ્વીટ કર્યું કે, તે ABVPના "ગુંડા" હતા, જેમણે ડાબેરી વિદ્યાર્થીઓ પર હુમલો શરૂ કર્યો, અને તેમને ગંભીર રીતેઘાયલ કર્યા છે.
આઇશીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'આજે ABVPના ગુંડાઓએ JNUમાં હિંસા કરી. વારંવાર આ ગુનેગારોએ વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા છે અને કેમ્પસને અસરકરી છે. શું JNU પ્રશાસન હજૂ પણ મૌન રહેશે? શું ગુંડાઓ સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં?

દિલ્હી પોલીસે શરૂ કરી તપાસ
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડીસીપી ગૌરવ શર્માએ કહ્યું કે, અમને JNUમાં હિંસાની માહિતી મળી છે. ગત સાંજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બે જૂથવચ્ચે મારામારી થઈ હતી.
ABVPએ લેખિત ફરિયાદ નોંધાવી છે, તો ડાબેરીઓ સાથે જોડાયેલા એક વિદ્યાર્થી તરફથી પણ ફરિયાદ આવી છે. બંને જૂથના સભ્યોએએકબીજા પર મારપીટનો આરોપ લગાવ્યો છે.
હજૂ સુધી JNUSU તરફથી કોઈ ફરિયાદ મળી નથી. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
