દિલ્હીમાં રહેશે મુસલમાનોના વોટ પર બધાની નજર
નવી દિલ્હી, (વિવેક શુક્લા): દેશમાં ચાલી રહેલી મોદી લહેરના લીધે રાજધાનીના મુસલમાન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સાથ આપી શકે છે. તે સામાન્ય રીતે કોંગ્રેસની સાથે રહે છે, પરંતુ આ વખતે તે ભાજપની સાથે જઇ શકે છે. ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાન, વિકાસપુરી, કિરાડી, મુસ્તફાબાદ, ગાંધીનગર, સીમાપુરી, સીલમપુર તથા બાબરપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 61 ટકા છે.
કિરાડીમાં 35, ચાંદની ચોકમાં 21, મટિયામહેલમાં 48, બલ્લીમારાનમાં 38, વિકાસપુરીમાં 21, મુસ્તફાબાદમાં 36, ગાંધી નગરમાં 23, સીમાપુરીમા6 26, ઓખલામાં 43, સીલમપુરમાં 61 તથા બાબરપુરમાં 45 ટકા મુસ્લિમ વસ્તી છે.

દલિત પણ ઓછા નથી
આ સીટો પર દલિતોની વસ્તી પણ 13 થી 30 ટકા સુધીની છે. આ 20 સીટોમાંથી મોટાભાગની કોંગ્રેસના ખોળામાં છે. ફક્ત 2 સીટો કિરાડી અને બાબરપુર જ ભાજપની પાસે છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાન કોંગ્રેસથી નારાજ છે. તેમને લાગે છે કે કોંગ્રેસે મુસલમાનોની સાથે હંમેશા દગો કર્યો છે.
મુસલમાનોનો ગઢ
મુસલમાન રાજધાનીમાં 17 વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. આ સીટો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 15 થી 61 ટકા છે. દિલ્હીમાં મુસ્લિમ કોંગ્રેસના પરંપરાગત મતદાતો રહે છે. મુસલમાન ગત ચૂંટણીમાં કોંગ્રેસને એકતરફી વોટ આપી ચૂક્યાં છે. પરંતુ આ વખતે ભાજપ પણ તેમના વોટ લેવા માટે મહેનત કરી રહી છે. એંગ્લો એરાબિક સ્કુલના ટીચર મકસૂદ અહેમદ કહે છે કે કોંગ્રેસ, સપા અને બસપાએ મુસલમાનોની સાથે દગો કર્યો છે. એટલા માટે તે ભાજપની સાથે જઇ શકે છે.
આ સાથે જ શાહદરા, સંગમ વિહાર, બદરપુર, ત્રિલોકપુરી, સદર બજાર, ઘૌંડા, કરાવલ નગર તથા ગોકળપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 20 ટકા છે. શાહદરામાં 13, ઘૌંડામાં 18, ગોકળપુરમાં 13, સંગમ વિહારમાં 20, બદરપુરમાં 15, ત્રિલોકપુરીમાં 18, કરાવલ નગરમાં 20 તથા સદર બજારમાં 13 ટકા મુસ્લિમ વસ્તી છે. તો બીજી તરફ આ સીટો પર દલિતોની વસ્તી પણ 14 થી 30 ટકા રહી છે. આ 8 સીટોમાંથી ફક્ત કરાવલ નગર તથા ઘૌંડાની સીટ જ ભાજપની પાસે છે.
જાણકારોનું માનવું છે કે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવી રહી છે. એટલા માટે મુસલમાન અથવા બાકી સમુદાય ભાજપની સાથે છે. બધાને ગુજરાત મોડલ પસંદ આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાનોમાં પરિવર્તનની ઇચ્છા સ્પષ્ટ જોઇ શકાય છે. તે આ વખતે દિલ્હીમાં ભાજપને સાથે આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
