શપથ ગ્રહણ માટે કેજરીવાલ અને તેમના મંત્રી મેટ્રોમાં જશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: શનિવાર એટલે કે 28 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બધા મંતી મેટ્રો દ્વારા જશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પદ અને ગોપનીયતાની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે અને તેમના મંત્રી સવારે કૌશાંબીથી મેટ્રો પકડશે અને આયોજન સ્થળે પહોંચશે. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમારોહ માટે કોઇને પણ તેમની તરફથી વીઆઇપી પાસ આપવામાં નહી આવે. તેમના પરિવારજનો પણ સમારોહમાં ભાગ લેવા માટે સામાન્ય નાગરીકની જેમ આયોજન સ્થળે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા 45 વર્ષીય અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે એક સમારોહમાં શપથ ગ્રહણ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
