ઇટલી પડ્યું નરમ, મરિન્સ આજે ભારત પરત ફરશે
નવી દિલ્હી, 22 માર્ચ: ઇટલી સાથે ચાલુ મરિન્સ વિવાદમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. બે ભારતીય માછીમારોની હત્યાના આરોપનો સામનો કરી રહેલાં પોતાના બે મરિન્સને ઇટલીએ કાયદાકીય ટ્રાયલ માટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બંને મરિન્સને એક વિશેષ વિમાનથી ભારત મોકલવામાં આવશે. બંને શુક્રવારે ભારત પરત ફરે તેવી સંભાવના છે. આ બંનેની ભારત પરત ફરવાનો સમયગાળા આજે પુર્ણ થઇ રહ્યો છે. આ પહેલાં ઇટલીના આ મરિન્સને ભારત પરત મોકલવાથી મનાઇ કરી દિધી હતી.
ભારતે ઇટલા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઇટલી સરકારની દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તરફથી આ બંને મરિન્સને મૌલિક અધિકારોની રકાનું આશ્વાસન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યા મુજબ મરિન્સ ભારત જવા માટે રાજી છે. ઇટલીના વડાપ્રધાન મોન્ટી મારિયોએ રક્ષા મંત્રી જિયામપાઅલો ડિ પાઅલો સાથે ગુરૂવારે બેઠક બાદ મરિન્સને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.

બંને મરિન્સ પર આરોપ છે કે ગત વર્ષે તેમને કેરલના સમુદ્ર કિનારે બે ભારતીય માછીમારોની હત્યા કરી દિધી હતી. આ હત્યાના આરોપોનો સામનો કરી રહીલા આ મરિન્સને ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે ઇટલીની ચુંટણીમાં ભાગ લેવા માટે પરવાનગી આપી હતી અને શરત મુકી હતી 4 અઠવાડિયામાં તેમને ભારત પરત ફરવું પડશે. પરંતુ ઇટલી ગયા બાદ તેમને ભારત પરત ફરવાની મનાઇ કરી દિધી હતી, ઇટલી સરકારે આને આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવીને તેમનો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે આને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકેલવામાં આવે.
ત્યારબાદ બંને દેશો વચ્ચે આ મુદ્દે વિવાદ શરૂ થઇ ગયો. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂર ડેનિયલ મેનચિનીને દેશ છોડવા પર મનાઇ ફરવાની દિધી હતી. જેની ઇટલી સરકારે ટીકા કરતાં કહ્યું હતું કે ભારત 1991ની વિયેના કન્વેન્શનનો ઉલ્લંઘન કરી રહી છે. યુરોપીય સંઘે ભારતના આ પગલાંની ટીકા કરી હતી. કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધીએ ઇટલીને કડક શબ્દોમાં ચેતાવણી આપી હતી કે તે ભારતને નબળું ન સમજે. ભારતના રણનિતીક દબાણ આગળ નબળું પડતાં ઇટલીએ આ મરિન્સને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
