કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળે તેવી શક્યતા
કેપ્ટન અને વડાપ્રધાનની આ બેઠકને લઈને પંજાબના રાજકારણમાં ફરી અટકળોનું બજાર ગરમ થયું છે.
નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ બુધવારના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે. જો કે આ બેઠક અંગે હજૂ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટના સૂત્રો સતત દાવો કરી રહ્યા છે કે, કેપ્ટન અમરિંદર આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળી શકે છે.

આ પહેલા કેપ્ટન દિલ્હી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ પહેલા કેપ્ટન દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમને પણ તે સમયે વડાપ્રધાન સાથે મળવાનું હતું, પરંતુ તે સમયે તેઓ અમિત શાહને મળ્યા બાદ પરત ફર્યા હતા.
કેપ્ટન વડાપ્રધાન સાથે આ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે!
કેપ્ટન અને વડાપ્રધાનની આ બેઠકને લઈને પંજાબના રાજકારણમાં ફરી અટકળોનું બજાર ગરમ થયું છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં કેપ્ટન અમરિંદર કૃષિ કાયદાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કેટલાક મુદ્દાઓ વડાપ્રધાન મોદીની સામે ઉઠાવી શકે છે. કેપ્ટને આ અગાઉ આ મુદ્દાઓ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. અમિત શાહ સાથેની તેમની બેઠકમાં કેપ્ટને કૃષિ કાયદા અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ વાત ખુદ કેપ્ટને કહી હતી.

રાજીનામું આપ્યા બાદ અમિત શાહને મળ્યા હતા કેપ્ટન
થોડા અઠવાડિયા પહેલા જ્યારે કેપ્ટન અમરિંદર દિલ્હીમાં અમિત શાહને મળવા આવ્યા હતા, ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી હતી, કારણ કે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ જ તેઓ અમિત શાહને મળ્યા હતા. હવે વડાપ્રધાનને ફરીથી મળવા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, શું તેમના નજીકના મિત્રોનો મતલબ ભાજપમાં જવાનો છે. જો કે, કેપ્ટન મોઢે નકારતા રહ્યા છે કે, તેઓ ભાજપમાં જોડાશે નહીં.

18 સપ્ટેમ્બરના રોજ કેપ્ટને રાજીનામું આપ્યું હતું
કેપ્ટન અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આવ્યું છે. રાજીનામાની ઓફરની સાથે કેપ્ટને એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ હવે કોંગ્રેસમાં રહેશે નહીં. કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ કેપ્ટનનું રાજીનામું આવ્યું હતું. સિદ્ધુને જુલાઈમાં પ્રદેશ અધ્યક્ષ પદ આપવામાં આવ્યું હતું અને ત્યારથી બંને નેતાઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ શરૂ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
