ઘર પર હુમલા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું કે - 'દેશ માટે જીવ આપી શકે છે'

બુધવારના રોજ કેટલાક લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. જેના પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

નવી દિલ્હી, 31 માર્ચ : બુધવારના રોજ કેટલાક લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. જેના પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે, જો દુનિયાની સૌથી મોટી અને સત્તાધારી પાર્ટી દિલ્હીમાં આવી ગુંડાગીરી કરશે, તો તે દેશના યુવાનોને શું સંદેશ આપશે? દેશ આ રીતે પ્રગતિ કરી શકે નહીં. કેજરીવાલે એમ પણ કહ્યું કે, હું દેશ માટે મારો જીવ આપી શકું છું.

કથિત રીતે જીવને ખતરો હોવાના એક દિવસ બાદ કેજરીવાલની આ પ્રથમ પ્રતિક્રિયા હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સામેની તેમની ટિપ્પણીના વિરોધ વચ્ચે ભાજપ સમર્થિત વિરોધીઓ દ્વારા તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.

કેજરીવાલે જણાવ્યું હતું કે, જો કેન્દ્રમાં સત્તામાં રહેલી દેશની સૌથી મોટી પાર્ટી આવી ગુંડાગીરીનો આશરો લેશે તો તેનાથી લોકોમાં ખરાબ સંદેશ જશે. લોકો વિચારશે કે આ સાચો રસ્તો છે. સલાહ આપવાના સ્વરમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, આવી રીતે આગળ ન વધો.

અમે તેની સામે ઔપચારિક ફરિયાદ નોંધાવીશું

અમે તેની સામે ઔપચારિક ફરિયાદ નોંધાવીશું

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ (30 માર્ચ) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રીના નિવાસસ્થાન સામે ભારે વિરોધને પગલે આ રોલ લાદવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પંજાબની ચૂંટણીમાં તે અરવિંદ કેજરીવાલને હરાવી શકી નહોવાથી, ભાજપ હવે તેમને મારવા માગે છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર થયેલો હુમલો દર્શાવે છે કે, ભાજપપોલીસની મદદથી કેજરીવાલને મારવા માગે છે. તેની સામે અમે ઔપચારિક ફરિયાદ દાખલ કરીશું.

આપ એ રિલીઝ કરી 35 સેકન્ડની ક્લિપ

ટ્વિટર પર, AAP એ 35 સેકન્ડની ક્લિપ બહાર પાડી છે, જેને તેણે "રો CCTV ફૂટેજ" તરીકે ઓળખાવી છે. ક્લિપમાં લગભગ બે ડઝન વિરોધ કરનારા માણસોદરવાજા સુધી જતા અને સુરક્ષા અવરોધ તોડીને બતાવે છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, ભાજપના ગુંડાઓએ દિલ્હી પોલીસની હાજરીમાં સીસીટીવી કેમેરા અનેસુરક્ષા બેરિકેડ તોડી નાખ્યા હતા.

3,500 ઈ ઓટોને આપી લીલી ઝંડી

3,500 ઈ ઓટોને આપી લીલી ઝંડી

મુખ્યમંત્રી કેજરીવાલે આ વાત ત્યારે કહી જ્યારે તેઓ રાજ્યના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત સાથે ઈલેક્ટ્રિક ઓટોરિક્ષાને ફ્લેગ ઓફ કરવા આઈપી ડેપો પહોંચ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઈ ઓટો 3,500 લોકો ચલાવશે. આનાથી 3,500 લોકોને રોજગાર મળશે, જેમાંથી 500 મહિલાઓ છે. બહુ ગર્વની વાત છે.

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે આ અવસર પર જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈરહી છે. દિલ્હીને દેશની EV રાજધાની માનવામાં આવે છે.

લોકો વધુને વધુ ઇવી ખરીદી રહ્યા છે. આ વર્ષે તેમના દ્વારા ખરીદવામાં આવેલા કુલ વાહનોમાંથી 10 ટકાઇલેક્ટ્રિક વાહનો હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X