હડતાલથી થશે 20,000 કરોડનું નુકસાન: એસોચૈમ

એસોચૈમનું કહેવું છે કે પહેલાંથી જ નરમાઇ સામે ઝઝૂમી રહેલી દેશની અર્થવ્યવસ્થા તેમાં પણ હડતાલ થઇ તો નબળાઇ આવશે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દરના ગત એક દસકામાં સૌથી ઓછી (5 ટકા) રહેવાનું અનુમાન છે. ગત વર્ષ આર્થિક વૃદ્ધિ 6.2 ટકા રહ્યો છે.
એસોચૈમ અધ્યક્ષ રાજકુમાર ધૂતનું કહેવું છે કે મોંઘવારીની ચિંતા બધાને છે અને શ્રમિક સંગઠનોની પ્રસ્તાવિત હડતાલથી વસ્તુઓની આપુર્તિ ખોરવાઇ જતાં મોંઘવારી વધુ વધી શકે છે. ધૂતનું કહેવું છે કે દેશવ્યાપી આ હડતાલથી બેંકિંગ, વીમા અને ટ્રાંસપોર્ટ જેવા સેવાક્ષેત્ર પર વધુ અસર પડશે સાથે જ ઔદ્યોગિક ઉત્પાદન પણ પ્રભાવિત થશે. શાકભાજીની અવર-જવર પ્રભાવિત થતાં કૃષિ પર અસર વર્તાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની શ્રમિક વિરોધી નિતિઓ અને સતત ઉચ્ચસ્તર પર બનેલી મોંઘવારીને જોતાં બધા મુખ્ય સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ 20 અને 21 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું આહવાન કર્યું છે.
હડતાલથી જીડીપીમાં થનાર નુકસાનનું અનુમાન દૈનિક જીડીપીમાં 30 થી 40 ટકા નુકસાનના આધારે લગાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રિય આંકડાકીય સંગઠન (સીએસઓ) ના અગ્રિમ અનુમાનન આધારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશના જીડીપી ઉત્પાદન 95 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. આ હિસાબથી દૈનિક જીડીપી 26,000 કરોડ રૂપિયા અને બે દિવસમાં 52,000 કરોડ રૂપિયા જીડીપી નુકસાન થશે.
ધૂતે કહ્યું હતું કે હડતાલમાં મુખ્ય પાંચ ટ્રેડ યુનિયનોનો સામેલ થવાની સ્થિતીને જોતાં બેકિંગ, નાણાંકીય સેવાઓ, પર્યટન અને પરિવહન ક્ષેત્ર પર સૌથી વધુ અસર વર્તાવવાની સંભાવના છે. હડતાલની અસર પશ્વિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ પર અસર વર્તાશે.
એસોચૈમ અધ્યક્ષે પ્રસ્તાવિત હડતાલ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશના મહત્વપુર્ણ ક્ષેત્રોમાં કામ કરવું અર્થવ્યવસ્થાના હિતમાં નથી. તેમને કહ્યું હતું કે વધતી જતી મોંઘવારીની અમને પણ ચિંતા છે પરંતુ તેનું સમાધાન એકસાથે મળીને કરવું પડશે. અર્થવ્યવસ્થામાં આપૂર્તિ વધારીને અને ઉત્પાદન વૃદ્ધિથી આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે. હડતાલના કારણે આપૂર્તિમાં ઘટાડો થશે મોંઘવારી વધશે. ધૂતે કેન્દ્રિય શ્રમિક સંગઠનો અને ભારતીય મજદૂર સંઘને અપીલ કરતાં કહ્યું હતું કે સરકાર સાથે વાતચીત કરી આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
