જૂનાગઢ : માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન
જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યુ હતું
જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં કુલ 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
Recommended Video


આ કેમ્પમાં નિદાન કરવા માટે આવેલા લોકો માટે ચાપાણી, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં ડોક્ટર વિપુલ રાઠોડ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમને વિનામુલ્યે આશરે 300થી વધુ દર્દીઓની આંખની તપાસ કરી હતી. જેમાંથી 80 લોકોને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોવાથી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટ ખાતે તેમની સંસ્થાની બસમાં લઇ જવામાં આવ્યા હતા. આ દર્દીઓની આધુનિક તકનિક મારફતે નેત્રમણિ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન થયા બાદ તેમને કેમ્પના સ્થળે પરત પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માંગરોળમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં જાતિ કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આ સાથે અત્યાર સુધીમાં માંગરોળ તાલુકા અને તેના આસપાસના ગામડાના હજારો લોકોએ આ કેમ્પમાં પોતાની આંખની સારવાર કરાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
