UP News: ઉત્તર પ્રદેશના 4593 ગામોને મળશે બસ સુવિધા, રાજ્યના દરેક ગામની બદલાશે તસવીર
UP News: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં પરિવહન સેવાને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ વિસ્તારો તરફ છે. આ જ કારણ છે કે સરકારે રાજ્યના તમામ ગામડાઓમાં પરિવહન સેવાઓ આપવાનો નિર્ણય કર્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે.
રાજ્ય સરકારે રાજ્યના તમામ ગામડાઓને પરિવહન સેવાઓ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. યોગી સરકારે આ સંદર્ભે પરિવહન નિગમના અધિકારીઓને સૂચના આપી છે. રાજ્યના તમામ 4593 ગામોમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકારે આ વર્ષે ડિસેમ્બર માસ સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરવાનો નિર્ણય લીધો છે.

આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ 10 ઓક્ટોબર સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે. આ સર્વે રિપોર્ટ બાદ તમામ ગામડાઓને ટ્રાન્સપોર્ટ સર્વિસ આપવાનું કામ આગળ ધપાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્ય મંત્રી દયાશંકર સિંહ કહે છે કે ગ્રાઉન્ડ સર્વે અને પ્લાનિંગ રૂટ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે ગામથી મહત્તમ એક કિલોમીટરના અંતરે બસ સેવા ઉપલબ્ધ હોય. આનાથી વધુ અંતરેથી બસ સેવા હશે તો ગામ માટે અલગથી બસ ચલાવવામાં આવશે.
ગામડામાં બસની સુવિધા પૂરી પાડવા માટે સંબંધિત તાલુકા અને જિલ્લા મથકોને જોડવામાં આવશે. વાહનવ્યવહાર રાજ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે રૂટની દરખાસ્ત એવી રીતે તૈયાર કરવામાં આવે કે સૂચિત રૂટનું મહત્તમ અંતર 100 કિલોમીટરથી વધુ ન હોય.
જે ગામડાઓમાં બસ સેવા નથી ત્યાં પરિવહન નિગમ બસ સેવા શરૂ કરશે, આ માટે વાહન વ્યવહારના અગ્ર સચિવ વેંકટેશ્વર લુએ વિભાગ અને પરિવહન નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ સર્વે એક સપ્તાહમાં પૂર્ણ કરી 10 ઓક્ટોબર સુધીમાં મુખ્યાલયને મોકલી આપવામાં આવશે.
જો ઉત્તર પ્રદેશમાં વસતા ગામોની સંખ્યાની વાત કરીએ તો તે 10 લાખથી વધુ છે. રાજ્યમાં કુલ 100983 ગામો છે, જેમાં ગ્રામસભાઓની સંખ્યા 59163 છે, જેમાંથી 4953 ગામોમાં બસ સેવા નથી. આ ગામોને બસ સેવા આપવા માટે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી 2 ટીમો બનાવવામાં આવી છે જે પોતાનો રિપોર્ટ તૈયાર કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
